SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યવિદ પૃથિવિરાજ. ૭૫ પરંતુ અકબરના આ કૃત્ય માટે શું કરવું? આવી રીતે છળ-પ્રપંચ કરીને અનેક કુલિન કામિનીઓના સતીત્વને તેણે નાશ કર્યો છે અને જો તેને યોગ્ય શિક્ષા નહિ મળે તે તે અધમ કૃત્ય કરતે સહેજ પણ અટકશે નહિં. કેમ મારી વાત ખરી છે ને?” પૃથિવીરાજે શાંતિથી પૂછયું. આપની બધી વાત ખરી છે, પરંતુ આપ જ વિચારોને કે આપ તેને શિક્ષા કરવાને સમર્થ છે? રાજસ્થાનના મોટા મેટા રાજાએ પણ જેનું દાસત્વ સ્વીકારીને પિતાની આબરૂ ગુમાવી બેઠા છે, ત્યારે આપ એકલા હાથે અને વળી નજરકેદીની હાલતમાં શું કરશે ? આપના બંધુને, મોગલ બાદશાહની ગુલામગીરી નહિ સ્વીકારવા માટે મેં ઘણું સમજાવ્યું હતું, પરંતુ તેનું શું પરિણામ આવ્યું. તે આપ કયાં નથી જાણતા? હાલ તે આપ વખ તને વિચારીને ચૂપચૂપ બેસી રહેશે તો જ યોગ્ય અવસરે કાંઈક કરી શકશો, પરંતુ મને લાગે છે કે બાદશાહ અકબરના આ અત્યાચારની ખબર મેવાડના મહાવીર પ્રતાપસિંહ રાણાને પહોંચાડવાની જરૂર છે; કારણ કે અત્યારે સમસ્ત રાજસ્થાનમાં એકલા એજ સ્વતંત્ર અને વીર પુરૂષ છે અને તેજ તેને તેના એ અધમ કૃત્યને બદલો આપવાને તૈયાર થશે.”કરમચંદે કહ્યું. “તમારું કથન અક્ષરશ: સત્ય છે. અમે જે મેગલ બાદશાહની તાબેદારી ન સ્વીકારી હોત તે આ પ્રસંગ બનવા પામત નહિ; પરંતુ હવે એ ડહાપણ કશા કામનું નથી. અત્યારે રાત ઘણું વહી ગઈ છે, માટે તમે તમારા આવાસે જાઓ; કાલે પાછા સવારમાં આવજે એટલે આપણે મહારાણા પ્રતાપસિંહને જે ખબર પહોંચાડવાની છે, તે માટે યોગ્ય ગોઠવણ કરીશું.” પૃથિવીરાજે કહ્યું. બહુ સારૂં” એમ કહી કરમચંદ પોતાના આવાસે ચાલ્યો ગયો અને પથિવીરાજ લીલાદેવીના અકાળ મૃત્યુ માટે દીલગીરી કરતા અને પરિતાપને સહેતે પલંગ ઉપર પડ્યો. –– – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy