SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ભાગ્યવિધાયક ભામાશાહ. “ નહિ, કરમચંદ ! તમે મને ઠગે છે. મારી લાલાં મને મૂકીને સ્વર્ગમાં જાય નહિ અને કદાચ મારાથા રીસાઈ ગઈ હોય, તે તમે મને તેને મનાવવા તેની પાસે જવા દે. પ્રિય દેવી ! જરા ભ, તારે સ્વામી તારી પાછળ આ આવ્યા.” એમ કહીને પૃથિવીરાજ પોતાની તરવાર મ્યાનમાંથી બહાર કહાડી આમતેમ ફેરવવા લાગ્યો. ચંપા તથા દાસી આ પ્રકાર જોઈને ગભરાઈ ગયાં અને તેથી તેમને ત્યાંથી ચાલ્યા જવાનું કહી કરમચંદ પૃથિવીરાજ પાસે ગયે. તેણે તેના હાથમાંથી તરવાર લઈ લીધી અને તેને માન કરતાં કહ્યું “રાજા સાહેબ! આ શું? શું આપ ગાંડા થઈ ગયા છે? વખતને વિચારે અને જે કરવાનું હોય તે કરે; મુંઝાઈ જવાથી કશો પણ અર્થ સરે તેમ નથી. રાણી છે તે સદાને માટે આ સંસારમાંથી ચાલ્યા ગયા છે તેથી શું મૃત્યુ પામેલું માણસ પાછું આવતું હશે ? વિદ્વાન્ થઈને કેમ ભૂલે છે ?” કરમચંદ! મારું મગજ અત્યારે ઠેકાણે નથી; તમે કહો તેમ કરવાને હું તૈયાર છું.” પૃથિવીરાજે શાંત થઈને કહ્યું. “આપ શયનખંડમાં જઈને જરા આરામ કરો, હું શબની ગ્ય વ્યવસ્થા કરાવીને આપની પાસે હમણુંજ આવું છું.” એમ કહી કરમચંદે નોકરોને બોલાવ્યા અને શબની વ્યવસ્થા માટે ઘટિત સૂચના સર્વને આપી દીધી. શબની વ્યવસ્થામાં કેટલાક સમય ચાલ્યો ગયો અને તે પછી કરમચંદ પૃથિવીરાજ પાસે ગયે. પૃથિવીરાજે તેને તુરતજ પૂછયું. “શું લાલાં સદાને માટે ગઈ. ?” “વળી પાછી એ વાત?” કરમચંદે જરા કરડા સ્વરે કહ્યું. “કેમ, એ વાત ખોટી છે?” પૃથિવીરાજે કહ્યું. નહિ, વાત ખરી છે, પરંતુ આપ જેવા વીર પુરૂષે નાહિસ્મત ન બનવું જોઈએ. જે થવાનું હતું તે થઈ ગયું છે. હવે તે માટે દીલગીરી કરવાથી શું ફળ?” કરમચંદે કહ્યું. “ઠીક, કરમચંદ ! તમારી બધી વાત હું માન્ય કરૂં છું; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy