________________
કાવ્યવિદ પૃથિવીરાજ. શહેનશાહની આજ્ઞાથી એકત્ર થતી હતી. આ બજારમાં ઉપયોગી અને બહુમૂલ્ય વસ્તુઓની લેવડ–દેવડ, ખુદ શાહનશાહની બેગમે, શાહજાદીઓ અને રખાયતે તથા રાજા, અમીર અને ઉમરાવની સ્ત્રીઓ, પુત્રીઓ અને વધુઓ કરતી હતી. બાદશાહ પિતે છુપા વેશે આ બજારમાં ભાગ લેતા હતા અને તેથી સલતનતની એકંદર હાલત અને પિતાના જુદા જુદા કામદારોની સારી મીઠી ચાલચલગત તે જાણું લેતે હતે. અબુલફજલનું આ કથન સવાંશે સત્ય હોય એમ માની શકાતું નથી; કેમકે ભટ્ટકાવ્ય ગ્રંથ તથા અન્ય ઇતિહાસમાં નોરેજમાં થતા અત્યાચારનું વર્ણન સારી રીતે કરી વામાં આવેલું છે અને તે ઉપરથી જાણી શકાય છે કે શહેનશાહ અકબરે રૂપસુંદરી લલનાઓનાં અપૂર્વ રૂપને જોવાનું અને તેમનાં સતીત્વને ભ્રષ્ટ કરવાને આ યુક્તિ શોધી કહાડી હતી. અકબરને કેટલાક ઇતિહાસકારો ધમોમાં પુરૂષ તરીકે ઓળખાવે છે, એ વાત જો કે તદ્દન અસત્ય તો નથી, પરંતુ તેની પૂર્વાવસ્થા રૂપનિરીક્ષણ અને વિષયવાસનાની તૃષ્ણાથી મલીન થયેલી હતી, એ વાત તે સત્યજ છે. શહેનશાહ અકબરમાં અન્ય મુસલમાન બાદશાહો કરતાં કેટલાક સારા ગુણેને અવશ્ય વાસ હતો અને તે ઉપરાંત તેનું હદય પણ દયાળુ હતું અને તેથી તેને ધર્મામાને બદલે સુયોગ્ય બાદ, શાહનું ઉપનામ આપવું, એ વધુ ઠીક છે. અસ્તુ.
કાસમના ફરમાન અનુસાર જોઈએ, લીલાદેવીના શબયુક્ત માનાને તેના મકાનમાં ગુપચુપ મૂકી આવ્યા, ત્યાં સુધી કેઈને ખરી હકીકતની ખબર પડી નહિ. હરરાજની નાની પુત્રી ચંપાદેવી છેતાની માટી ઑન લીલાદેવી સાથે જ રહેતી હતી. બેગમ જે ધબાના આમંત્રણથી લીલાદેવી રાજ્યમહાલયમાં ગઈ હતી, એ તે જાણતી હતી અને તેથી તે સંધ્યા સમય સુધી પોતાની બહેનના આગમનની રાહ જોતી એકાદ પુસ્તક વાંચતી એક ઓરડામાં બેઠી હતી. તે પુસ્તક વાંચી વાંચીને કંટાળી ગઈ તે પણ લીલાદેવીના આગમનની ખબર મળી નહિ એટલે તે પુસ્તકને પડતું મુકી તેના શયનખંડ તરફ જવાને તૈયાર થઈ, પરંતુ એટલામાં એક દાસીએ આવીને માને આવવાના ખબર આપ્યા અને તેથી તે ઉતાવળી ઉતાવળી માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org