________________
કાળકાવિદ પૃથિવીરાજ.
૬૯
રાજપૂત હરરાજની પુત્રીઓ હતી; તેમાંથી પ્રથમ લીલાદેવીને પૃથિવીરાજ પરણ્યા હતા અને તેના અકાળ મૃત્યુ પછી ચંપાવતી સાથે તેનુ લગ્ન થયું હતુ. પૃથિવીરાજ અને લીલાદેવીને મપૂર્વ પ્રેમ હતા અને તેથી પૃથ્વિીરાજને બાદશાહના ક્માન મુજબ માગલ–ાજ્યધાનીમાં રહેવાનુ થતાં લીલાદેવી પણ મીકાનેરથી તેની સાથે આવીને રહી હતી. લીલાદેવી નવજુવાન અને અપૂર્વ રૂપલાવણ્યસ’પન્ન તરૂણી હાવાથી તેના રૂપની ખ્યાતિ સર્વત્ર પ્ર સરી ગઇ હતી. વિશેષમાં તે એક પતિપ્રાયા અને સતી સ્ત્રી હતી અને પેાતાના પતિ પૃથિવીરાજને ઇશ્વરતુલ્ય માનનારી હતી; તેથી તે અન્ય પુરૂષનું મુખ પણ ભાગ્યેજ જોતી હતી. પૃથિવીરાજ નજરકેદીની સ્થિતિમાં હાવા છતાં પણ લીલાદેવી જેવી સદ્ગુણી અને સાધવી સ્ત્રીના પ્રેમ અને સહવાસથી પોતાને સુખી માનતા હતા. અકબરે જોકે તેને નજરકેદમાં રાખેલેા હતેા; તે પણ તે તેનું માન સારી રીતે સાચવતા અને તેને કોઇ પણ પ્રકારની શંકા કરવાનું' પ્રયેાજન આપતા નહાતા.
એકજ માતપિતાના ખન્ને સહેાદર ખંધુઓમાં જેમ કોઇ કોઇ સમયે આસમાન જમીનના તફાવત હાય છે, તેમ પૃથિવીરાજ અને તેના વડિલ અંધુ રાયસિંહમાં પણ તેટલેજ તફાવત હતા. રાયસિંહુ બીકાનેરના સ્વતંત્ર રાજા હતા; તે પણ તેણે શહેનશાહ અકબરથી ડરી જઇને તેની ગુલામગીરી સ્વીકારવા ઉપરાંત પોતાની પુત્રી પણ શાહજાદા સલીમને આપી હતી. રાયસિંહુમાં પૃથિવીરાજ જેવા ઉત્તમ ગુણ્ણાના સવ થા અભાવ હતા. તે ઘણુંાજ દુરાગ્રહી અને ક્રોધી હતા તથા તેને પેાતાની પ્રશંસા બહુજ પ્રિય હતી. વિશેષમાં તે એવા ઉડાઉ હતા કે તેણે રાજ્યના સઘળા ખાના ખુશામતખાર ભાટ-ચારણાને આપી દેવામાં ઉડાવી દીધા હતા. ટાડના ગ્રંથ જો કે સર્વોમાન્ય ગણાય છે; તેા પણ તેણે કેટલીક ભૂલા કરેલી છે, એમ સત્ર સ્વીકારાય છે અને તેથી પૃથિવીરાજની સ્ત્રી ખરી રીતે કાણુ હતી એ સબંધમાં તેણે ભૂલ કરી હશે, એમ અમારા અશ્વિન મત છે. રા. નથુરામે જણાવેલી વાત ઉપરથી અમે આ ઘટના વર્ણવેલી છે અને તેથી અમે તેમના આભારી છીએ.
લેખક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org