________________
ભાગ્યવિધાયક ભામાશાહ.
અને નરસિંહ ઉભય ભાઈઓએ લેદીની સાથેના યુદ્ધમાં અતીવ પરાક્રમ કરેલું હતું. મેગલ શહેનશાહ અકબરના સમયમાં બીકાનેરની ગાદી એ રાવ કલ્યાણસિંહનો માટે કુવર રાયસિંહ હતો અને તેને મંત્રી કરમચંદ વત્સરાજને વંશજ હતો. મંત્રી કરમચંદ ઘણે જ વિદ્વાન અને બુદ્ધિસંપન્ન હતા તથા વ્યવહારિક જ્ઞાનમાં પણ ઘણે કુશળ હતું. રાજા રાયસિંહે અન્ય રાજપૂત રાજાઓની પેઠે શહેન શાહ અકબરની તાબેદારી સ્વીકારી હતી અને તેના પુત્ર સલીમને પોતાની કન્યા પણ આપી હતી. બાદશાહે તેના બદલામાં રાયસિંહને ચાર હજારી સેનાપતિની પદવી આપી હતી. રાજા રાયસિંહને ના ભાઈ પૃથિવીરાજ બહુ વિદ્વાન અને કાવ્યકેવિદ હતા તથા રાયસિંહ કરતાં ઘણેજ બાહોશ અને વીર પુરૂષ હતું, તેથી - હેનશાહ અકબરે તેને પિતાને મિત્ર બનાવીને પિતાના દરબારમાં નજરકેદ જેવી સ્થિતિમાં રાખ્યા હતા. પૃથિવીરાજ બાદશાહની કપટકળાને સારી રીતે જાણતો હતો અને પોતાના ભાઈએ તેની તાબેદારી સ્વીકારી, તે માટે તે નારાજ હતું, પરંતુ બાદશાહે તેને નજરકેદ રાખેલો હોવાથી તે કશું કરી શકે તેમ નહોતું. પૃથિવી. રાજ જેમ એક વીર પુરૂષ હતું, તેમ તે કવિ પણ હતા. તેણે સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષામાં ઉત્તમ કવિતાએ કરેલી છે. વિશેષમાં તે મારવાડી ભાષાની કવિતા કરવામાં ઘણે જ નિપુણ હતા. તેણે
પૃથિવીરાજ વેલ” તથા “રૂકિમણી લતા વિગેરે ઈશ્વર ભકિતપરાયણ ગ્રથો પણ લખેલા છે. આ કાવ્યકોવિદ પૃથિવીરાજને લીલાદેવી (લાલ-લાલબા) નામે સતી સ્ત્રી હતી. કર્નલ ટેડ કહે છે કે તે શિશેદિયાની પુત્રી હતી, પરંતુ વાસ્તવિક રીતે એમ હોવું સંભવતું નથી.* લીલાદેવી અને ચંપાવત (ચાંપા) એ ઉભય મહીડા
* કર્નલ ટોડ રાજસ્થાનમાં લીલાદેવીને ( બ) શકિતસિંહની પુત્રી તરીકે ઓળખાવી છે; પરંતુ પ્રતાપપ્રતિજ્ઞા નાટકના કર્તા કવિ નથુરામ સુંદરજી શુક્લ એજ નાટકની પ્રસ્તાવનામાં આ સંબંધમાં મેવાડી કવિના મુખથી સાંભળેલી વાત ઉપર લખ્યા પ્રમાણે કહે છે, આમાંથી કઈ વાત ખરી માનવી, એ અમે ઇતિહાસવેત્તાઓને સેપીએ છીએ, પરંતુ અમને રા. નથુરામે સાંભવેલી વાત ઠીક જણાતાં તેને અનુલક્ષીને પ્રસંગનું આળેખન કર્યું છે, કર્નલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org