________________
કાવ્યકોવિદ પૃથિવીરાજ અને વસ્તુપાળે તથા રાજસ્થાનમાં વત્સરાજ, જયમલ, ભંડારમલ, ભામાશાહ, રતનસિંહ, ધનરાજ અને અમરચંદે જ્ઞાતિ, સમાજ, દેશ અને ધર્મના અભ્યદયાથે જે મહાન કાર્યો કર્યા છે, તે અત્યંત પ્રશંસનીય અને શિક્ષાપ્રદ છે; પરંતુ ઈતિહાસમાં આવા સમર્થ પુરૂષની એટલી ટુંકી હકીક્ત લખેલી છે કે તેથી તેમનાં સંપૂર્ણ જીવનવૃત્તાંતને જાણી શકાય તેમ નથી; તે પણ તેમના સંબંધને જેટલે ઈતિહાસ ઉપલબ્ધ છે, તેટલાથી તેમનાં ઉચ્ચ જીવનને અને તેમના ઉત્તમ કાર્યોને આપણે વિચાર કરી શકીએ છીએ.
મોટાં મેટાં રાજ્ય સ્થાપવા અને તેને ઉદ્ધાર કરવાનાં સાહસે જેનીઓએ કરેલાં છે અને તેમાં તેઓ ફલિભૂત પણ થયેલા છે, એ ઈતિહાસના જાણકારો સારી રીતે જાણે છે. ઈતિહાસ પ્રસિદ્ધ બીકાનેરનું રાજ્ય પણ તેના મૂળ પુરૂષ બીકાએ તેના મંત્રી વત્સરાજની સહાય અને કાર્યકુશળતાથી સ્થાપ્યું હતું. મહારાજ જે ધારાવને પુત્ર બીકે અને વીર જૈસલજીને પુત્ર વત્સરાજ-એ ઉભયે જંગલના શંકલાઓ ઉપર માત્ર ત્રણ માણસે લઈને હુમલો કર્યો હતો અને તેમને હરાવીને તેમના પ્રદેશને કબજે કરી લીધું હતું. ત્યારબાદ વિજયી બીકાએ ભટ્ટીઓના તાબાને ભાર પ્રદેશ સર કરીને સંવત ૧૫૪૫ (ઈ. સ. ૧૪૯૮) ના વૈશાખ માસની અજવાળી પાંચમે તેણે બીકાનેર વસાવ્યું. વત્સરાજ પણ પિતાના કુટુંબ સહિત આ નવી સ્થપાયેલી રાજ્યધાનીમાં આવીને રહેવા લાગે અને તેણે મંત્રીપદેથી બીકાનેરને આબાદ બનાવ્યું. તેણે વત્સસાર નામક એક ગામ પણ વસાવ્યું હતું. વત્સરાજ ઘણજ ધર્માત્મા પુરૂષ હતું. તેણે જૈન ધર્મની પ્રભાવના માટે બહુજ ઉદ્યોગ કર્યો હતો અને તેણે તીર્થાધિરાજ શત્રુંજય તીર્થની યાત્રા પણ કરી હતી. મહારાજ બીકાથી લઈ ઉત્તરોત્તર રાજા રાજસિંહના અમલ સુધી વત્સરાજના વંશજોએ રાજ્યના મંત્રી અને સલાહકાર તરીકે સેવા બજાવી હતી. વસરાજના વંશમાં ઘણું અનુભવી અને વિદ્વાન પુરૂષે ઉત્પન્ન થયા હતા અને તેમણે દરેકે રાજ્યકાર્ય જ નહિ; કિન્તુ યુદ્ધકાર્યમાં પણ ભાગ લઈ પિતાની બહાદુરી બતાવી આપી હતી. વસરાજના વંશજો પૈકી વરસિંહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org