SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવિધાયક ભામાશાહ. રાખેલી કટારી કહાડીને બોલી, “નરપિશાચ! અહીથી પાછા ચાલે જા, નહી તે તારું કે મારું એકનું જીવન અત્યારે સમાપ્ત થશે.” - અકબર લીલાદેવીના આ સાહસથી, જરા ભય પામે અને ક્ષવાર ચિત્રવત્ સ્થિતિમાં ઉભે રહ્યો. લીલાદેવીએ આ વખતે પિતાના મુખ ઉપરથી ઘુંઘટ કહાડી નાંખ્યા હતા. તેનું મુખ લાલચોળ થઈ ગયું હતું અને તેની આંખોમાંથી અગ્ની વરસતો હતો, તેમ છતાં તે એટલી તો સુંદર અને મેહક લાગતી હતી કે અકબર પુન: મેહવશ થઈ તેની પાસે ગયે અને તેને હાથેથી પકડી પિતાના તરફ ખેંચી. સતી લીલાદેવીના અંગમાં આ વખતે સતિત્વના પ્રભાવે દેવે બળ પ્રેર્યું અને તેથી તે એક જબરો ઉછાળો મારી તેના હાથમાંથી છુટી ગઈ. લીલાદેવીએ તેના હાથમાંથી છુટતાંજ પિતાના ઉદરમાં કટારી જોરથી બેસી દીધી. સતિને અમર આત્મા તેના દેહમાંથી પ્રયાણ કરી ગયા અને શબ ત્યાં પડયું રહ્યું. અકબર આ અણચિંતવ્યા બનાવથી કેવળ મંત્રમુગ્ધ થઈ ગયા અને હવે શું કરવું, એના વિચારમાં પડી ગયે. તે ઓરડામાંથી એકદમ બહાર આવ્યો અને કાસમને બોલાવી તેને કાનમાં કાંઈક ગુમ વાર્તા કહીને પિતાના ખાનગી ખંડમાં ચાલે ગયે. આ સમયે રાત્રિનો અંધકાર વ્યાપી ગયે હતો અને તેથી રાજ્યમહાલય અસંખ્ય દીપમાળાથી શોભી રહ્યો હતો. કાસમ, લીલાદેવીનું શબ પડેલું હતું તે ઓરડામાં ગયે અને તેને એક માનામાં મૂકી જોઈએને સમજાવીને સ્થાને રવાના કરી દીધો. મકરણ ૧૦ મું. કાવ્યકોવિદ પૃથિવીરાજ. પ્રાચિન સમયમાં ગુજરાત અને રાજસ્થાનની ઉન્નતિ કરવામાં અને તેના નૈરવને વધારવામાં જેનીઓએ અગ્રભાગ લીધે છે, એમ તે સમયના ઈતિહાસના વચનથી આપણે સારી રીતે જાણું શકીએ છીએ ગુજરાતમાં ચાંપ, વીર, વિમળ ઉદયન, મુંજાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy