________________
નૌરોજનો હેતુ “સુંદરી !” અકબરે દીનતાથી કહ્યું. “હવે જવાની વાત શા માટે કરે છે? ક્યાંસુધી શરમમાં રહેશે? હવે હદ થઈ છે! આવાં સ્ત્રીચરિત્ર તો મેં કોઈ સ્ત્રીનાં જોયાં નથી. માટે ઘુઘંટને હવે દૂર કરીને આ રૂપના તૃષાતુરને તમારા અનુપમ અને બેનમૂન રૂપનું પાન કરવા દે. હિન્દુસ્થાનને બાદશાહ ઉઠીને તમારી પાસે પ્રેમની ભિક્ષા માગે છે. શું તમે તેને નિરાશ કરશે?”
શયતાન !” લીલાદેવીએ ઉત્તેજક સ્વરે કહ્યું. “ મહાન ઐશ્વર્યશાલી બાદશાહ થઈને તું એક સતિ નારીના સતિત્વનું ખં, ડન કરવા તૈયાર થયું છે, પરંતુ હું પરમાત્માના સોગન ખાઈને કહું છું કે પ્રાણાંતે પણ તારી ઈચ્છા પૂર્ણ થવાની નથી મને જવા છે હું તને પ્રાર્થના કરું છું કે મને સુખરૂપ જવા દે, નહિ તે પરિ ણામ સારૂં નહિ આવે !”
“સુંદરી ! શા માટે હઠ કરે છે? તને ખબર છે કે હું કેણું છું? આખા હિન્દુસ્થાનને બાદશાહ તારી આગળ હજાર વાર માથું નમાવવા તૈયાર છે, જેનું નામ સાંભળતાં શત્રુઓ ભયાતુર થઈ જાય છે, તે તારા પ્યારનો ગુલામ બનવા આતુર છે અને જેના બાહુબ ળથી રાજસ્થાન જે અટંકી દેશ પાયમાલ થયે છે, તે તને પિતાની સામ્રાજ્ઞી બનાવવા માગે છે, તેનું શું તું અપમાન કરે છે? શા માટે ભાવિ સુખને તિલાંજલી આપે છે? જેમ એક ભોગી ભ્રમરે પ્રેમની ખાતર પોતાના પ્રિય કમળની અંદર મરવાને માટે તૈયાર થાય છે, તેમ હું તારા રૂપની આગળ મારા પ્રાણની પણ દરકાર કર્યા વિના મરવાને તૈયાર છું. માટે મારી વિનતિને સ્વીકાર કર. હું તને મારા ખરા જીગરથી ચાહું છું અને તેથી જો તું મારી ઈરછાને આધિન થઈશ તો તને પરમ સુખી બનાવીશ. ” અકબર એમ કહીને લીલાદેવીની અત્યંત નજીક ગયે અને તેને કમળ કર પકડીને તેને આલિંગન આપવા તૈયાર થયે.
લીલાદેવી તેની દુષ્ટ ઈચ્છા કળી ગઈ અને ભયથી તેનું અંગ ધ્રુજવા લાગ્યું, પરંતુ પરમાત્માના પવિત્ર નામનું સ્મરણ કરીને તે બે-ત્રણ પગલાં પાછળ હઠી અને પિતાના વસ્ત્રોમાં છુપાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org