________________
ભાગ્યવિધાયક ભામાશાહ. તેનું સમસ્ત શરીર ક્રોધથી પી ઉઠયું. તેણે તિરસ્કારથી એકદમ બાદશાહના હાથને તરછોડી નાંખતાં કહ્યું “એક સતી સ્ત્રીના સતીત્વનું ખંડન કરવા જતાં કેવું વિપરિત પરિણામ આવે છે, એની તમને ખબર જણાતી નથી, શહેનશાહ! નહિ તે તમે આવું સાહસ કરી શક્ત નહિ. તમે સમગ્ર હિન્દુસ્થાનના બાદશાહ છે. હું એક સામાન્ય રાજાની રાણી છું, પરંતુ તમે જે અવિચારી પગલું ભરશો તે યાદ રાખજો કે તમારું અપમાન થશે.”
દિલરૂબા!” જન્નતની પરી ! તમારા જેવી રૂપનિધાન તરૂણીથી અપમાનિત થવું, એ પણ ભાગ્યની વાત છે. માટે આડી અવળી વાતને જવા દઈ મારી ઈચ્છાને આધિન થાઓ. હું તમને સમસ્ત ભારતની સામ્રાજ્ઞી બનાવીશ.” અકબરે હસીને કહ્યું,
“બાદશાહ ! લીલાદેવીએ ક્રોધથી કહ્યું. અત્યાર સુધી હું પ્રજાપાલક જાણી તમારું માન સાચવતી હતી, પરંતુ હવે તમારે એ અધિકાર રહ્યો નથી. ધિક્કાર છે તમને, ધિક્કાર છે તમારી મેટાઈને અને ધિક્કાર છે તમારી રાજગાદીને! હજુ પણ તમને કહું છું કે તમે જોમ આવ્યા છે, તેમ પાછા ચાલ્યા જાઓ. તમારા અત્યારના આ દુષ્ટ વ્યવહારની વાત હું ગુપ્ત રાખીશ અને તેથી મારી અને તમારી ઉલયની આબરૂ સચવાશે.”
અકબરે ખડખડાટ હસીને કહ્યું. “પ્રાણેશ્વરી ! રૂપ આગળ આબરૂનો સવાલ તુચ્છ છે. આબરૂ કરતાં રૂપસુંદરીને હું વધુ પસંદ કરું છું, માટે એ વાત જવા દે પ્રિયા? અને મારા બળતા હદયને તથા શરીરને તમારા સુખકર સમાગમથી શાંત થવા દે. - બાદશાહના અતિ નિંદ્ય વચને સાંભળી લીલાદેવી એકદમ તિરસ્કારથી બેલી ઉઠી. “ નરાધમ ! ચંડાળ ! જીભ સંભાળીને વાત કરે. હું રાજા રાયસિંહની પત્ની જેવી ભેળી નથી કે તમારા વચનથી લેભાઈ જઈ તમારી માગણીને સ્વીકાર કરૂં? આ તે પૃથિવિરાજ સિંહની સિંહણ છે, તેને સ્પર્શ કરવાથી યાદ રાખજો કે તમારા પ્રાણ ખાચત જોખમમાં આવી પડશે. બાદશાહ ! માટે મને અહીંથી સુખરૂપ જવા દે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org