________________
ભાગ્યવિધાયક ભામાશાહ હા સરકાર અને તેને આપે કહેલા ઓરડામાં બેસાડીને હું આપને ખબર આપવાનેજ આવી છું.” અમીનાએ ઉત્તર આપે.
અમીના! તું ઘણી ચતુર છે, તેને બદલે તને મળશે. ચાલ, મને ત્યાં લઈ જા.” અકબરે પ્રસન્નતાથી કહ્યું.
પધારે, જહાંપનાહ!” અમીન એમ કહીને આગળ ચાલી. બાદશાહ તેની પછવાડે પછવાડે ગયે. થેડી ક્ષણમાં અમીના એક ઓરડા પાસે આવીને અટકી અને બાદશાહને બહાર ઉભા રહેવાની અરજ કરી પિતે અંદર ગઈ.
તેને અંદર આવતી જોઈને એક અનુપમ લાવણયસંપન્ન તરૂણીએ તેને આતુર નયને પૂછયું. “બાંદી ! જોધબા કેમ હજુ આવ્યા નહિ?” - “રાણી સાહેબા ! તે વસ્ત્રો પહેરી રહ્યા છે અને જે સમય જાય છે તેમાં તુરતજ આવી પહોંચશે.” અમીનાએ નમ્રતાથી જવાબ આપે.
“ હા, પણ તું જા અને ઉતાવળ કરાવ; કેમકે સાંજ પહેલાં મારે મારા મકાને પાછા ફરવું જ જોઈએ.” તે તરૂણુએ આતુરતા દર્શાવતાં કહ્યું.
ઠીક ત્યારે, હું જઉં છું અને બેગમ સાહેબાને ઉતાવળ કરાવું છું.” એમ કહી અમીના ઓરડામાંથી બહાર આવી અને બાદશાહને અંદર જવાની ઈશારત કરી ત્યાંથી અન્યત્ર ચાલી ગઈ.
અકબરે ઓરડામાં પ્રવેશી તેનાં દ્વાર બંધ કર્યા. દ્વારના ખડખડાટથી અંદર આસન ઉપર બેઠેલી તરૂણીએ દ્વાર તરફ પિતાની નજર ફેરવી તે જોધબાને બદલે કોઈએક તરૂણ પુરૂષને જોઈ તે આસન ઉપરથી ઝડપથી ઉભી થઈ ગઈ અને પહેરેલા વસને ઘુંઘટ તાણને અવળા મુખે ઉભી રહી.
બાદશાહ અકબર આ નવીન તરૂણીનાં સવગને જોઈ ચકિત થઈ ગયો. તે હવશ થઈને તેની પાસે ગયો અને મધુર સ્વરે છે.
લીલાદેવી ! સુંદરી શામાટે શરમાઓ છે? શા માટે તમારા ચંદ્ર સમાન મુખને ઘુંઘટમાં છુપાવે છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org