________________
નીરજનો હેતુ બાંદી અમીના આવીને હાજર થઈ અને બાદશાહને કુનિસ બજા. વીને, સામે મસ્તક નમાવી ઉભી રહી.
બાદશાહે તેને કહ્યું. “અમીના!” અમીનાએ નમ્રતાથી કહ્યું. “ફરમાન સરકાર.”
અહી નજીક આવ.બાદશાહે તેને પોતાની પાસે બોલાવી. - તે તેની નજીક આવી એટલે અકબરે તેના કાનમાં કંઈક ગુપ્ત વાત કહી. અમીના તે સાંભળીને ફરીથી મુનિસ બજાવીને ચાલી ગઈ.
અમીનાના ગયા પછી અકબર પુન: વિચારમગ્ન સ્થિતિમાં વિરામાસન ઉપર આડે પડયે. એટલામાં કાસમે હાજર થઈ નમીને કહ્યું. “જહાંપનાહ! બુંદેલખંડના રાજા ઉપર ચડાઈ લઈ જનાર સેનાપતિ આવી પહોંચ્યા છે અને તે આ૫ હજુર આવવાની આજ્ઞા માગે છે.”
બાદશાહે વિચારનિદ્રામાંથી જાગૃત થઈને કહ્યું. “સેનાપતિને કહે કે હમણાં આશાયેશ લે અને ફરમાન થાય ત્યારે હાજર થજે.”
ખુદાવંદને જે હુકમ.” એમ કહીને કાસમ ચાલે ગયે.
અકબર અમીનાની આતુરતાથી રાહ જોતે હતું તેથી તે વારંવાર એરડાના દ્વાર તરફ નજર ફેરવતા હતા. બે ત્રણ કલાક થયા પણ અમીના આવી નહિ એટલે અકબરે પુનઃ કાસમને બોલાવ્ય; પરંતુ એટલામાં અમીના આવી પહોંચી અને બાદશાહને નમીને અદબથી સામે ઉભી રહી. કાસમ બાદશાહના ઈશારાથી બહાર ચાલ્યા ગયા. ત્યારબાદ અકબરે અમીનાને પૂછ્યું. “શું કરી આવી, અમીના ?”
જહાંપનાહ! આપના ફરમાન મુજબ બધી ગોઠવણ થઈ ગઈ છે.” અમીનાએ ઉત્તર આપે.
શું લીલાદેવીને ભેળવીને તું લઈ આવી?” અકબરે આશ્ચર્ય યુક્ત અવાજે પૂછ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org