SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સ૮ ભાગ્યવિધાયક ભામાશાહ. - “મહારાણુંઆપની શુભ લાગણીને માટે આપને હું ઉપકાર માનું છું પરંતુ મારી પુત્રી કુસુમ સદ્દગુણી અને સ્વદેશપ્રેમી હાય, તે તેનું સઘળું માન મહારાણી શ્રીમતી પદ્યાવતી દેવીને જ ઘટે છે, કેમકે તેમણે તેને પોતાની જ પુત્રીની જેમ હંમેશાં પિતાની પાસે રાખીને કેળવી છે અને તે આપ પણ કયાં નથી જાણતા?” ભામાશાહે કૃતજ્ઞતા દર્શાવતાં કહ્યું. ખરું છે,” મહારાણાએ કહ્યું. “ દેવી પદ્માવતી તેના ઉપર પોતાના પેટની પુત્રી જેટલું વહાલ રાખે છે, પરંતુ મંત્રીશ્વર! કર્મસિંહ અને કુસુમ અરસપરસ એકબીજાને ચાહે છે, એવું તેમ ના અત્યારના વાર્તાલાપથી મને જણાયું છે, તે શું સત્ય છે ?” હા, તે સત્ય છે. કર્મસિંહ અમારી જ્ઞાતિને એક લાયક, બુદ્ધિવાન, ઉચ્ચ કુળનો અને પરાક્રમી યુવક છે અને આપણે લીધે. લી પ્રતિજ્ઞા સંપૂર્ણ થયા બાદ તેમનું ઉભયનું લગ્ન કરી નાંખવાનો મેં નિશ્ચય પણ કરેલો છે.” ભામાશાહે કહ્યું. કર્મસિંહના કૌશલ્યને હલદીઘાટના યુદ્ધમાં જેવાને પ્રસંગ મને મ હતું અને તેથી તમે જે નિશ્ચય કરેલ છે, તે ઉત્તમ છે, પણ હવે આપણે કિલ્લા ઉપરની ગોઠવણ એક વખત જોઈ લઈએ તે કેમ?”પ્રતાપસિંહે ભામાશાહના નિશ્ચયને સંમતિ આપતાં પૂછયું. “મારે વિચાર પણ એજ છે.” એમ કહી ભામાશાહ તથા પ્રતાપસિંહ કિલ્લા ઉપર ગયા. ઝઝ* * પ્રકરણ ૯ મું. નરેજને હેતુ. આંખોમેં હય તસબીર સુરતકી દિલરૂબાકી, દિલમેં અદા ખુબી હય, ઉસ નાંજની અદાકી.” “આજ સુધી ઘણું નવજવાન સુંદરીઓને નિહાળી છે, પરંતુ આ સમયના નૈરોજના બજારમાં જે જીન્નતની હુરીને આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy