________________
૫૬
ભાગ્યવિધાયક ભામાશાહ. કહી કુસુમના રૂપનિધાન વદન કમળનું અવલોકન કર્યું અને તે જવાને ઉત્સુક થયો. - “ઉભા રહે, કર્મસિંહ!” તેને નિસ્તેજ વદને ચા જેતે જોઈને કુસુમે શાંતિથી કહ્યું. “આજના મારા વર્તનથી તમને ખોટું લાગ્યું જણાય છે, પરંતુ તમે જે શાંત ચિત્તે વિચાર કરશે, તો તમને સ્પષ્ટ જણાશે કે મેં જે કાંઈ કર્યું છે તે અયુક્ત નથી. તમે જાણે છે, કર્મસિંહ! કે આપણું પ્રિય દેશ મેવાડના, આપણું પ્રાણપ્રિય ધર્મના અને આપણું અત્યંત હાલી ઈજ્જત-આબરૂના રક્ષણને બધે આધાર ભવિષ્યમાં થનાર યુદ્ધ ઉપર અવલંબીને રહે છે. પરમાત્મા મહાવીર અને ભગવાન એકલિંગજીની કૃપાથી આપણે વિજય થશે, એમ મારી માન્યતા છે, પરંતુ મેવાડના દુર્ભાગ્યે જે આપણે પરાજય થયે, તે મહારાણુની અને આપણી શું સ્થિતિ થશે? તથા આપણાં દેશ, ધર્મ અને આબરૂની કેવી અધોગતિ થશે ? તેની કલ્પના પણ અત્યારથી થઈ શકતી નથી અને તેથી આવા કટોકટીના સમયે પ્રેમીજન્ય વાર્તાલાપ કરી હૃદયને વિકારી બનાવીને ખરા કર્તવ્યથી ચલિત થવું, એ ઉચિત નથી. આ હેતુથી તમારે જે જોઈએ તે સત્કાર મેં કર્યો નહોતે, પરંતુ એથી તમારા તરફનો મારો જે અખંડ પ્રેમ છે, તેમાં જરા પણ ન્યુનતા થઈ છે એમ માનવાનું કોઈ પણ પ્રયોજન નથી. કર્મસિંહ! સ્પષ્ટીકરણની ખાતર મારે એટલે ખુલાસો કરે પડયે છે અને હું આશા રાખું છું કે એથી તમારા મનનું સમાધાન થઈ ગયું હશે. હવે જાઓ; પરમાત્મા મહાવીર અને ભગવાન એકલિં. ગજી તમને સુયશ અપાવે, એવી મારી અંત:કરણની ઈચ્છા છે.” - કર્મસિંહ, કુસુમનું આ સંભાષણ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયો અને તેથી તે પોતાની થયેલી ભૂલને પશ્ચાત્તાપ જાહેર કરવાને આતુર થઈ રહ્યો હતે; પરંતુ કુસુમ એટલું બેલીને તથા કમસિંહ પ્રતિ એક સનેહભરેલી દ્રષ્ટિ ફેંકીને તુરતજ ત્યાંથી ચાલી ગઈ. કર્મસિંહ વીજળીના વેગે ચાલી જતી એ માનિનીને તે દેખાય ત્યાં સુધી જોઈ રહ્યો. તેને કુસુમને બોલાવી પોતાની ભૂલની ક્ષમા માગવાનું ઘણું મન થયું, પરંતુ તેના મુખમાંથી એક શબ્દ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org