SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ કે કર્તવ્ય આ સ્થિતિમાં તમે મારે તીરસ્કાર કરે છે, કુસુમ?” કર્મસિંહે પિતાના આવવાને હેતુ કહી બતાવતાં આર્જવતાથી કુસુમને પૂછ્યું. કસમે કાંઈક દિલગીરી ભરેલા અવાજે કહ્યું. “કર્મસિંહ! જેને મેં મારા હૃદયમંદિરમાં સદાને માટે સ્થાન આપેલું છે, તેને હું તીરસ્કાર કરૂં, એ કેવળ અસંભવનીય છે, પરંતુ જે સમયે સ્વદેશ, સ્વધર્મ અને સ્વઈજજતને સઘળો આધાર આપણાં એકનિષ્ઠ કર્તવ્ય ઉપર રહેલો હોય, તે સમયે એ અત્યંત અગત્યનાં કર્તવ્યને ઘડીભર પણ વિસારી દેવાં અને વિકારને વશ થઈ પ્રેમીઓની સાથે પ્રેમસંભાષણમાં જોડાવું, એ તમારા જેવા એક ખરા સ્વદેશ સેવકને કંઈ પણ રીતે ઉચિત નથી.” તે પછી તમે, આપણા ઉભયની વચ્ચે જે શુદ્ધ પ્રેમ બંધાયો છે, તે કરતાં પણ સ્વદેશ અને સ્વધર્મ પ્રતિના પ્રેમને વિશેષ આદરને પાત્ર ગણે છે. ખરુંને?” કર્મસિંહે આશ્ચર્યયુક્ત સ્વરે પૂછયું. “અલબત,” કસુમે ઝટ ઉત્તર આપે અને તેની કમળ સમાન ચક્ષુઓમાંથી તેજની ધારા છુટવા લાગી. “એમાં જરા પણ શક નથી. તમારા પ્રત્યે પ્રેમ છે કે શુદ્ધ અને નિર્મળ છે, પરંતુ તે માત્ર વ્યક્તિગત છે, જ્યારે સ્વદેશ અને સ્વધર્મ પ્રત્યેનો પ્રેમ સમષ્ટિને છે અને તેથી તે વિશેષ આદરને પાત્ર છે.” સુમ તમારા આજના વર્તન ઉપરથી જણાય છે કે તમે મને પહેલાંની જેમ ચાહતા નથી.” કર્મસિંહે ગંભીરતાથી કહ્યું. “ તમારી માન્યતા ભૂલભરેલી છે, કર્મસિંહ !” કસુમે દ્રઢતાથી કહ્યું. “હું તમને પહેલાં જેવા પ્રેમથી ચાહતી હતી, હાલ પણ તેવા જ બકે તેથી પણ વધારે પ્રેમથી ચાહું છું, પરંતુ હાલના અગ્ય વખતે મારો એ પ્રેમ બતાવી તમને મેહમુગ્ધ કરવાની અને એ રીતે સ્વકર્તવ્યથી તમને ચુત કરવાની મારી ઈચ્છા નથી અને તેથી જ મેં તમને અત્યારે બરાબર માન આપ્યું નથી.” ઠીક, કુસુમ ! ત્યારે હવે હું રજા લઉં છું. પરમાત્માની કૃપાથી ફરીથી ગ્ય અવસરે તમને મળીશ.” કર્મસિંહે એટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy