SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ ભાગ્યવિધાયક ભામાશાહ તરા તેણે અર્થસૂચક દ્રષ્ટિથી જોયું. ભાષાશાહ તેનેા ભાવાર્થ સમજી ગયા અને તે પણ ઉભા રહ્યો. તે ઉશય ખાગમાં ત્રણ ચાર મોટાં મોટાં વૃક્ષોની ઘટાની પેલી બાજુએ થતાં વાર્તાલાપને સાંભળવા લાગ્યા, “અત્યારે અરસપરસ મળવા હળવાના અને પ્રેમના સંભાષણ્ણા કરવાના સમય નથી, એ શુ' તમે નથી જાણુતા કૅસિંહુ?” એક તરૂણીના અવાજ સંભળાયા. આ અવાજ સાંભળીને ભામાશાહ પ્રતાપસિંહને કાંઇ કહેવા જતા હતા; પરંતુ તેણે આંગળીની ઇશારતથી ચુપ રહેવાનુ અને સર્વ વાત સ્રાંભળવાનું સમજાવ્યું અને તેથી તે ચૂપ રહી સાંભળવા લાગ્યા. “હું તે જાણું છું, કુસુમ ! પણ અહીં આવવાના અને આ રીતે તમને મળવાના મારા હેતુ સમજ્યા વિના તમે મારા તિરસ્કાર કરી છે. એ ઠીક કહેવાય કે ? ” કર્મસિ ંહે પૂછ્યું. te k હા, એ ઠીક તા નથી; પરંતુ જે સમયે કર્ત્તવ્યમાં જ રાત દિવસ મશગુલ રહેવું જોઈએ, તે સમયે માવી રીતે નિરૂપયેાગી વાત કરવામાં આનંદ માનવાને તૈયાર થવુ, એ વ્યાજબી નથી. મહારાણાની આજ્ઞાને તેા તમે ભૂલી ગયા નથી ને ?” કુસુમે હ્યુ. મહારાણાની આજ્ઞા, એ મારે મન ખુદ પરમાત્માની આજ્ઞા છે અને તેથી હું તેને ભૂલી જાઉં, એ તદન અસભવનીય છે. મારે અહીં આવવાના અને તમને મળવાના આશય જૂદો જ છે. તમે જાણતા હશે। કે મોગલ સેનાપતિ શાહુમાજમાં પ્રખળ સૈન્ય સાથે આ કિલ્લાને ઘેરવાને ચાલ્યા આવે છે અને ? સમય જાય છે, તેમાં મેગલા સાથે મહાન્ યુદ્ધ થશે. કાણુ જાણે છે કે આ યુદ્ધનુ શુ પરિણામ આવશે ? કિલ્લાના રક્ષણના ભાર કુમાર અમરિસંહ અને મારા ઉપર મૂકાયેલા હેાવાથી આવતી કાલથી મારે કુમારની સાથે શતદ્દિવસ કિલ્લા ઉપર જ રહેવાનું છે અને તેથી એક વખત તમારા ચંદ્ર સમાન ઉજ્જવળ વનકમળનું દન કરી લેવા અને તેમાંથી ઝરતા અમૃતનું પાન કરવાને માટે જ તમારી પાસે આવ્યે છુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy