________________
પ્રેમ કે કર્તવ્ય.
પ્રકરણ ૮ મું.
પ્રેમ કે કર્તવ્ય. મહારાણા પ્રતાપસિંહ અને મંત્રીશ્વર ભામાશા, રાજમહેલના બાગમાં રાજ્યપ્રકરણ વિષે વાર્તાલાપ કરતા બેઠા હતા. મધ્યા
ને સમય હોવાથી સૂર્ય જે કે પૂર દમામથી પ્રકાશીત હતુંતે પણ તેઓ જ્યાં બેઠા હતા, ત્યાં વૃક્ષોની ઘટાને લઈ તેનાં કારણેને પ્રવેશ થઈ શકતે નહેાતે અને તેથી મહારાણુ તથા મંત્રીશ્વર આરામથી બેઠા બેઠા અનેક પ્રકારના વિચાર કરતા હતા.
પ્રતાપસિંહે શાંત ચિત્તે કહ્યું, “ મંત્રીશ્વરમાં અત્યાર સુધી વષરૂતુને લઈ શત્રુઓ આપણા ઉપર ન હુમલે લાવી શક્યા નથી; પરંતુ હવે તે રૂતુ પૂરી થઈ છે અને તેથી તેઓ આપણને અહીં પણ સુખે બેસવા દે, એમ મને લાગતું નથી.”
“મહારાણાની ધારણું સત્ય છે; ” ભામાશાહે કહ્યું. “કારણ કે અકબર જાત્રાના બહાને અજમેરમાં આવ્યું છે અને તેણે શાહબાજખાને મેગલ સેનાપતિ બનાવીને આ કિલ્લાને ઘેરો નાખવાને માટે હુકમ આપે છે.”
ખરું છે. રણવીરસિંહ ખબર લાવ્યો છે કે મેગલ સેના પતિ શાહબાજ ખાં બડો ચાલક અને શૂરવીર અમલદાર છે અને તેની સાથે બીજા ત્રણ ચાર મોટા અમલદારે પણ આવનારા છે.” પ્રતાપસિંહે કહ્યું.
રણવીરસિંહે મને એ સર્વ ખબર આપ્યા છે અને વિશેષમાં તે એમ પણ કહેતું હતું કે આબુ પ્રદેશને અધિપતિ દેવરાજ શત્રુપક્ષમાં ભળી ગયો છે અને આ હુમલામાં તે પણ સાથે આવનાર છે.” ભામાશાહે વિશેષ ખબર આપ્યા.
મેગલનું ભાગ્ય અત્યારે ચડિયાતું છે, એક પછી એક એમ ઘણા હિન્દુ રાજાએ તેને મળી ગયા છે અને તેથી તેમની દરેક સ્થળે જીત થતી જાય છે. બંગાળાના પઠાણે ઉપર પણ તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org