________________
છૂટકાર.. હાથે એ વસ્તુઓ તૈયાર કરાયેલી છે અને તેને લાવનાર પણ હું હિન્દુ પહેરેગીર છું; માટે તે ખાવાને કઈ પણ પ્રકારની અડચણ નથી. પીવાનું પાણું પણ શુદ્ધ જ લાવવામાં આવેલું છે.”
વિજયે ક્ષણવાર વિચાર કરીને કહ્યું. “બાદશાહ નામવરને અને તમારો હું એ માટે ઉપકાર માનું છું; પરંતુ એ ખાવાની મારી ઈચ્છા નથી.”
તે જેવી તમારી ઈચ્છા. જેમ તમે હિન્દુ છે,તેમ હું પણ હિન્દુ છું. પેટના અથે યવન બાદશાહની નોકરી કરું છું, પરંતુ એક હિન્દુ તરીકેના ગુણેનો અને સ્વભાવને મેં ત્યાગ કર્યો નથી અને તેથી જ તમને કહું છું કે કાંઈ ખાઈ લે તે સારું કેમકે ભૂ
ખ્યા પેટે શત્રિ પસાર કરવી મહા મુશ્કેલ થઈ પડશે.” પહેરેગીરે નરમાશથી કહ્યું.
વિજય તેને ઉત્તર આપવા જતો હતો એટલામાં બીજે મુસલમાન પહેરેગીર ત્યાં આવી પહોંચતાં, પ્રથમ આવેલ હિન્દુ પહેરેગીર વિજય તરફ કરૂણાયુક્ત દષ્ટિએ જેતે તે મુસલમાન પહેરેગીર સાથે કેટરીનું દ્વાર બંધ કરીને ચાલ્યા ગયે.
પહેરેગીરના જવા પછી વિજયે ભેજન તરફ નજર કરી, પરંતુ તેને ખાવાને ભાવ થયે નહિ એટલે તેણે તે થાળને તથા પાણીના પાત્રને દૂર હડસેલી મૂક્યાં. પુનઃ તે વિચારમાં પડ અને ચિંતામાં દિવાના જે બની ગયે. રાત્રિના અંધકારમાં કેદખાનું ભયાનક લાગતું હતું અને તેથી તેણે પોતાની બન્ને આંખો બંધ કરી દીધી તથા તે લાંબે થઈને ચટાઈ ઉપર પડે. કેટલાક સમય તે એવી જ અવસ્થામાં ચટાઈ ઉપર પડી રહે, પરંતુ તેને નિદ્રા આવી નહિ. એટલે તે ઉઠીને ઉભે થેયે અને એકચિત્તે પરમાત્માનું પવિત્ર નામ
સ્મરણ કરવા લાગ્યા, ભકત મનુષ્ય કહે છે કે એક ચિત્તે પરમેશ્વરની પ્રાર્થના કરનાર મનુષ્યની તે મન:કામના અવશ્ય પરિપૂર્ણ કરે છે, તેવી રીતે વિજયની પ્રાર્થના તેણે સાંભળી કે નહિ, તે અમે કહી શકતા નથી, પરંતુ તે જ ક્ષણે એ ભયંકર અંધારામાં એકદમ પ્રકાશ દેખા. વિજયે પોતાની આંખે ખેલીને જોયું તે હાથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org