________________
છુટકારો “ઠીક છે, જ્યારે તું ખરી બીનાને છુપાવે છે ત્યારે તને ગુન્હેગાર ગણું ઘટિત સજા કરવામાં આવશે–તારે જાન લેવામાં આવશે. ” એમ કહી બાદશાહે શાહજાદી તરફ ગંભીરતાથી જોતાં પૂછયું. “હું પણ તારે શું કહેવું છે?”
શાહજાદી આરામબેગમ જે પિતાની આંખેમાંથી અત્યાર સુધી ચોધાર આંસુ વરસાવી રહી હતી, તેણે બાદશાહને નમીને ઉત્તર આપે. “મારા બાબા ! આ વિજય ખરેખર બેગુહા છે. હું જ એકલી ગુન્હેગાર છું; માટે એના ઉપર રહેમ લાવી એને મારી બક્ષો અને મને જે સજા કરવી હોય તે કરે.”
બાદશાહે દ્રઢતાથી કહ્યું. “એમ ! તે એક અજાણ્યા યુવકને તારા મહેલમાં લાવવાનું સાહસ કર્યું છે ? અને તે શું કારણથી ?”
શાહજાદીએ બાદશાહના કદમ ઉપર પડીને નમ્રતાથી કહ્યું. કારણ એજ છે કે હું એમને ચાહું છું–મારા ખરા જીગરથી ચાહું છું.”
એક અર્થહિન અને આશ્રયહિન હિન્દુ યુવકને શું તું ચાહે છે?” બાદશાહે આશ્ચર્યચકિત થઈને પૂછયું.
“હા, બાબા!” શાહજાદીએ જવાબ આપે.
“ત્યારે આ બિનામાં તુજ ખરેખરી ગુન્હેગાર છે. ઠીક છે; પરંતુ વિજયને તદ્દન માફી આપવામાં આવશે નહિ.” એમ કહી બાદશાહે તુરત બુમ મારી “કાસમ !”
ડીવારમાં એક હષ્ટપુષ્ટ હબસી હાથમાં નગ્ન તરવાર લઈને બાદશાહ સમ્મુખ આવી તસ્લીમ કરીને ઉભે રહ્યો.
તેના તરફ જોઈને બાદશાહે કહ્યું. “કાસમ ! આ હિન્દુ યુવકને અને આ બાંદીને કેદખાનામાં લઈ જા.”
જહાંપનાહને જે હુકમ.” એમ કહી કાસમ તે બન્નેને આગળ કરી ખંડમાંથી બહાર નીકળી ગયે.
તેમને જતાં જોઈને શાહજાદીએ રડતાં રડતાં કહ્યું. “હાલા બાબા ! રહેમ કરે, રહેમ કરે, વિજય તદન બેગુન્હા છે. તેને શા માટે કેદ કરે છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org