________________
ભાગ્યવિધાયક ભામાશાહ. છે. ગઈ કાલે રાત્રિએ તમે યમુનાના તટ પ્રદેશ ઉપર ફરતા હતા, તે વિષે મારી બાંદી જુલિયાએ મને કહેતાં મેં તમને અહીં મારી ખાહેશ જણાવવાની ખાતર બેલાવ્યા છે.”
- શાહજાદી ઉપરના શબદે ભાગ્યે જ બોલી રહી હશે એટલામાં તે દિવાલને ભાગ અચાનક દૂર ખસી ગયે અને “ભારત સમ્રાટની શાહજાદી કયા દાનેશમંદ અને દિલેર પુરૂષને ચાહે છે?” એ પ્રશ્નની સાથે ખુદ શહેનશાહ અકબરે એ ઓરડામાં પ્રવેશ કર્યો.
ખુદ બાદશાહ અકબરને જેઈ શાહજાદી તથા વિજય જમી. નપર બેસી ગયા. શાહજાદી પિતાના બાબાના કદમ પર પડી અને વિજય બાદશાહના તેજથી અંજાઈ જઈ નીચે દ્રષ્ટી રાખી જમીન ખેતરવા લાગે.
પ્રકરણ ૭ મું.
ટકા. પિતાના અત્યંત ગુપ્ત અને એકાંત ખંડમાં બાદશાહ અકબર સુંદર અને સુસજિજત સિંહાસન ઉપર બેઠેલે હતે. સામે તેની શાહજાદી અને વિજય થરથર ધ્રુજતાં ઉભેલાં હતાં. શાહજાદીની બાંદી જુલિયા પણ શિર ઝુકાવી એક બાજુ ઉભેલી હતી. બાદશાહે કેટલેક સમય વિચાર કરી કરડા સ્વરે કહ્યું. “વિજય ! મારી શાહજાદીના મહેલમાં તું કયાંથી આવ્યું? જે હકિકત બની હોય, તે સાચેસાચી કહેજે જુઠું બેલીશતે સખ્ત સજા થશે એ યાદ રાખજે.”
વિજયે શાંતિથી કહ્યું. “જહાંપનાહ! હું શાહજાદીના મહે લમાં શી રીતે આવ્યું, તે કહી શકતે નથી, પરંતુ મારી હકિકત એટલી જ છે કે હું, શાહજાદી અને આ બદી સર્વ બે ગુન્હા છીએ.”
બાદશાહે કઠોરતાથી કહ્યું. “તું હકિક્ત છુપાવે છે, એ જ તારા ગુન્હાની સાબિતી છે. આ “જહાંપનાહ પિતાને મને ગત કલ્પના કરવા મુખત્યાર છે.” વિજયે નરમાશથી કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org