SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવિધાયક ભામાશાહ. “હું જાણું છું, શાહજાદી સાહેબા ! કે આપના બાબા બહુ જ દિલાવર દિલના છે, પરંતુ મારા જેવા એક અદના મનુષ્યની તાત્કાલિક કદર થવી મુશ્કેલ છે.” વિજયે સહેજ ગંભીરતાથી કહ્યું. તે માટે તમે ફિકર ન કરે. હું સ્વયં બાબાને આપને માટે અર્જ કરીશ.” શાહજાદીએ કહ્યું. - વિજયે પ્રફુલ્લ મુખમુદ્રાએ કહ્યું. “શાહજાદી સાહેબા ! આપ ઈન્સાન નથી, પણ બિસ્તિના ફિરસ્તા છે, આપના અહેશાનને બદલે મારાથી શી રીતે વળાશે ?” ઈન્સાને ઈન્સાનને સહાય કરવી, એ અહેસાન નથી, પરંતુ ફરજ છે અને તેથી તેનો બદલો વાળવાની તમારે શા માટે ચિંતા રાખવી જોઈએ?” શાહજાદીએ કહ્યું. “શાહજાદી સાહેબ! વાર્થથી ભરેલી આ આલમમાં આપ રહેમની એક સાચી અને જીવતી જાગતી મૂર્તિ છે, પરંતુ આ સેવકને અહિં લાવવાની આપની શી ઈચ્છા છે, તે કેમ કહેતાં નથી?” વિજયે કૃતજ્ઞતાથી પૂછયું. એ કહેવાને માટે તે હું તમારી પાસે આવેલી જ છું.” શાહજાદીએ કહ્યું. “ફરમાવે, તાબેદાર સાંભળવાને તૈયાર છે.” વિજયે કહ્યું. “ વિજય!” શાહજાદીએ ક્ષણવાર વિચારીને કહ્યું. “તમે ચંપાને ખરા જીગરથી ચાહે છે ?” “અલબત્ત અને તે પણ મને તેવાજ જીગરથી ચાહે છે.” વિજયે ઉત્તર આપે. પણ થાનસિંહ શેઠ તે પિતાની પુત્રીની શાદી તમારા જેવા નિર્ધન અને આશ્રયહિન યુવકની સાથે કરવાને તૈયાર નથી, તેનું કેમ?” શાહજાદીએ ભાર દઈને પૂછ્યું. હા એ વાત ખરી છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે જે હું મારા ભાગ્યને ઉદય કરી શકો, તે તે પોતાની પુત્રી ચંપા. નું લગ્ન મારી સાથે કરશે.” વિજયે જવાબમાં કહ્યું. પણ તમારા ભાગ્યના ઉદયની રાહ તે ક્યાં સુધી જોશે?” શાહજાદીએ પુન: પૂછ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy