________________
શાહજાદીની ઈચ્છા.
જાદીને કહી સંભળાવ્યો, તે સાંભળીને શાહજાદીએ આશ્ચર્ય પામતાં પૂછયું. થાનસિંહ શેઠે તમને તેમના મહાલયને ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવાની આજ્ઞા કરી, તે શામાટે, એ તમે જાણે છે?”
તેમની કન્યા ચંપા અને હું અને અન્યને ચાહતાં હતાં, તેથી તેમણે મને એવી આજ્ઞા કરી છે.” વિજયે ઉત્તર આપે.
પણ તેથી તમને એવી આજ્ઞા કરવાનું પ્રયોજન શું છે? એ હું સમજી શકતી નથી.” શાહજાદીએ ઈન્તજારીથી કહ્યું.
પ્રયજન એ કે હું ગરીબ અને નિ:સહાય છું અને તેથી તે પિતાની પુત્રીનું લગ્ન મારી સાથે કરવા ખુશી નથી.”વિજયે કહ્યું.
તમે નિર્ધન અને નિ:સહાય છે, એ ખરી વાત; પરંતુ તમાશ જે સંદર યુવક આ દીન દુનિયામાં ભાગ્યે જ બીજે કંઈ હશે.” શાહજાદીએ કહ્યું. | વિજય નીચું જોઈ ગયે, તેણે કંઈ પણ ઉત્તર આપે નહિ.
“ઠીક, પણ હવે તમે કયાં જવા ધારે છે ?” શાહજાદીએ પૂછયું.
એ વિષે મેં કશો પણ નિશ્ચય કર્યો નથી.” વિજયે ઉત્તર આપે.
જુઓ વિજય !શાહજાદીએ તેના સામે ધ્યાનપૂર્વક જોઈને કહ્યું. “મારી સખી ચંપાના કથનથી હું જાણી શકી છું કે તમે એક સર્વગુણસંપન્ન યુવક છે અને તેથી મારી તમને એવી સ લાહ છે કે તમે શહેનશાહને મળે અને તમારી હકીકત જણાવો. તે ગુણગ્રાહક હેઈને તમને અવશ્ય પિતાની સેવામાં રાખી લેશે.”
શાહજાદી સાહેબા ! આપની એ સલાહ માટે આપને હું અહેસાનમંદ છું, પરંતુ જે આ દીનદુનિયાને માલિક છે અને જેના દર્શન થવા પણ મારા જેવા નાચીજ આદમીને સર્વથા અશકય છે, તે ભારતના સામ્રાટ શિરોમણિને શી રીતે મળી શકાય? વિજયે પૂછયું.
તમારૂં કથન રાસ્ત છે, વિજય ! પણ બાબાને દરબાર હરકેઈ અદાર મનુષ્યને માટે સદૈવ ખુલે છે, તે શું તમે નથી જાણતા? શાહજાદીએ સામે પ્રશ્ન કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org