________________
ભાગ્યવિધાયક ભામાયા, છે કે બિહિતને ફિરતે? મને લાગે છે કે મનુષ્યમાં આવું રૂપ ન હેય! ચોક્કસ, વિજય એક ફિરસ્તો છે; નહિ તે આવું દેવદુર્લભ રૂપ તેનામાં હોઈ શકે ખરું કે ? કેવું નયનમને હર આ મુખ? કેવાં વિશાળ આ નેત્રો ? મુખ ઉપર કેવી આ સરળતા ? હાય, ખુદા! આ રૂપને હજારો બલકે લાખો વખત જોવામાં આવે, તેપણ દિલને તૃપ્તિ થાય એમ નથી.”
હદયની તીવ્ર–અતિ તીવ્ર ઉત્તેજનાને રેકી નહિ શકવાથી શાહજાદીએ પિતાનો કેમળ મૃદુ હાથ વિજયના ઉજવલ કપાળ ઉપર ધીમેથી મૂક્યો. વિજયના નિદ્રિત દેહને સ્પર્શ કરતાં શાહજાદીનું સમસ્ત અંગ ધ્રુજી ઉઠયું. તેણે તુરતજ પિતાને હાથ વિજયના કપાળ ઉપરથી લઈ લીધે; પરંતુ થોડી ક્ષણના અતિ કેમળ સ્પર્શથી વિજયની નિદ્રા પલાયન થઈ ગઈ. તે એકદમ જાગી ઉઠયે અને શય્યા ઉપરથી ઉઠીને ઉભે થતાં જ તેની દ્રષ્ટિ શાહજાદી ઉપર પડી. પિતાની સન્મુખ શાહજાદીને ઉભેલી જોતાં તે આશ્ચર્યચક્તિ થઈ ગયે અને તેના અનુપમ લાવણ્યને એકી નજરે જોઈ રહ્યો. શાહજાદી પણ તેના દેવદુર્લભ રૂપને આડી નજરે નિહાળી રહી હતી. છેવટે તેણે કહ્યું. “વિજય ! ”
“ફરમાન, શાહજાદી સાહેબા !” વિજયે સલામ કરીને ઉત્તર આપે.
ફરમાન કાંઈએ નથી, પરંતુ રાત્રીના વખતે ગઈ કાલે તમે કયાં જતા હતા ?” શાહજાદીએ પૂછયું.
એ જાણીને આપ શું કરશો?” વિજયે સામે પ્રશ્ન કર્યો. શું એ પૂછવાને મને અધિકાર નથી?” શાહજાદીએ પુન:
“આપ દિલ્લીશ્વર શહેનશાહ અકબરના પુત્રી છે, આપને અધિકાર મહાન છે.” વિજયે કહ્યું.
એ અધિકારની હું વાત કરતી નથી. હું તે તમારી સાથેની ઓળખાણને લીધે એ હકીકત જાણવા માગું છું.” શાહજાદીએ કહ્યું
વિજયે પિતાના આશ્રયદાતા થાનસિંહ શેઠને આદેશ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org