________________
ભાગ્યવિધાયક ભામાશાહ.
શહેર નાન કરતું હતું. શાહજાદી આરામબેગમ આ સમયે એર ડાની બારી દ્વારા યમુનાના શ્યામ જળ ઉપર પડતાં ચંદ્ર-કિરણને અનિમિષ નયને જોઈ રહી હતી. જળતરંગોને જોઈ તેના હૃદયમાં અનેક પ્રકારના વિચારતરંશે ઉદ્દભવતા હતા. તેણે જોયું કે સર્વત્ર નિસ્તબ્ધતાનું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું. ઠંડે અને મૃદુ પવન વહેતું હતું, પરંતુ પ્રકૃતિનું આ સુંદર દશ્ય તે બહુવાર જોઈ શકી નહી. બારીને એકદમ બંધ કરીને તે પાછી એક સુંદર અને સુંવાળા આસન ઉપર આવીને બેઠી. સામે દિવાલમાં જડી લીધેલા દર્પણમાં તેનું પ્રતિબિંબ પડતું હતું, તે તરફ શાહજાદીની નજર ગઈ. તેણે તેમાં પોતાની મનમોહિની મૂતિને બરાબર ધ્યાનપૂર્વક નિહાળીને એક નિશ્વાસ નાખ્યો. તેણે આસન ઉપરથી પુનઃ ઉઠીને એરડામાં આમતેમ ફરતાં ફરતાં પોતાના મન સાથે કહ્યું. “યા ખુદા!યા પરવર દેગારી મારા નાજુક દિલમાં આ શું થાય છે? મીઠી નિદ્રાએ આજે મારો કેમ ત્યાગ કર્યો છે? ચંદ્રની શીતળતાથી મને કેમ આરામ થતા નથી? દિલને આજે ચેન કેમ પડતું નથી? ખરેખર વિજયના રૂપ-ગુણે મારા મન ઉપર જાદુઈ અસર કરી છે અને તેથીજ મારી આ સ્થિતિ થયેલી છે. જેની મને હારિણી મૂર્તિને આજે કેટલાએ દિવસો થયાં હૃદયમાં મેં સ્થાન આપ્યું છે તેને મારા સન્મુખ આ મહેલમાં જઈને મારૂં સમસ્ત શરીર અને મન ઉત્તેજીત થઈ ગયા છે. હાય ! શા માટે મારું દિલ વિજય પ્રતિ દેડે છે? તેના તરફ જીગર શા માટે બળી રહ્યું છે? હે ખુદા ! આ હું શું કરું છું ? એક હિન્દુને હું મારું શરીર–મારૂં જીગર અર્પવા શા માટે તૈયાર થઈ છું?” શાહજાદીએ આ પ્રમાણે અનેક વિચાર કર્યા, પરંતુ તેના દિલને આરામ થયે નહિ. વિચારમાં ને વિચારમાં પ્રભાતકાળ થવા આવ્યું. કિલ્લાના દરવાજા ઉપરથી પ્રાત:કાળની નહબ તેનો શોર કર્ણાચર થતું હતું. આ વખતે શાહજાદીની બાંદી
જુલિયાએ ઓરડામાં પ્રવેશ કરીને જોયું તે શાહજાદી એારડામાં હજુ પણ આમતેમ આંટા મારતી હતી. તે નમનતાઈથી કુરનિસ બજાવીને શાહજાદીની આજ્ઞાની રાહ જોતી ઉભી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org