________________
શાહજાદીની ઈ. આસનો હતાં. શાની પાસે એક સ્વચ્છ જળથી ભરેલું પિત્તળનું વાસણ હતું અને તે ઉપર “હિન્દના ઉપગમાં આવે તેવું શુદ્ધ જળ” એમ લખેલી એક કાગળની પટી ચડેલી હતી. આ બધે પ્રકાર અને વિજ્ય વિચારસાગરમાં ગાથાં ખાવા લાગ્યારાતના સમયે લાવી આવા એકાંત ઓરડામાં રાખવાનું શાહજાદીને શું પ્રજન હશે તથા તેની શી ઈચ્છા હશે, તે તેના સમજવામાં આવ્યું નહી. તે શાહજાદીને ઓળખતે હતે અને શાહજાદી તેને ઓળખતી હતી; કેમકે શાહજાદી પિતાની અત્યંત પ્રિય સખી ચંપાના આવાસે વખતે વખતે આવતી હતી અને તેથી વિજય અને તેને મેળાપ કોઈ કોઈ વાર ત્યાં થતું હતું. વિજયે આ પ્રકારનો ભેદ ઉકેલવાને ઘણે પ્રયાસ કર્યો, પરંતુ જયારે તેનાથી કાંઈ સમજાયું નહિં. ત્યારે તે થાકીને શમ્યા ઉપર પડ્યો. રાત ઘણું વહી ગયેલી હોવાથી અને દિવાલમાં ગોઠવેલાં જાળિયામાંથી શીતળ પવનની લહરીઓ આવતી હતી તેથી વિજય થેડી ક્ષણમાં નિદ્રાધીન થઈ ગયે. બાંદીની સાથે વિજય ચાલ્યા ગયે, ત્યારપછી શાહજાદી આસન ઉપરથી ઉઠીને ઓરડામાં આમતેમ ફરવા લાગી. તેણે બને તાતારિણીઓને એરડામાંથી ચાલ્યા જવાની આજ્ઞા કરી એટલે તેઓ તુરતજ ત્યાંથી અન્યત્ર ચાલી ગઈ. શાહજાદી આરામબેગમ શહેનશાહ અકબરની અત્યંત પ્રિયકર કન્યા હતી. તેનું વય બહુ બહુ તે પંદર સેળ વર્ષનું હતું. તે અત્યંત ગુણ વતી, વિવેકી અને મધુરભાષિણી હતી અને તેથી શહેનશાહ અકબર તેને બહુજ સ્નેહથી ચાહતા હતા. બાદશાહે તેને પોતાના રંગમહેલના એક સુંદર અને વિશાળ મકાનને તેના નિવાસસ્થાન તરીકે આપેલું હતું. આ મકાન એવું તે સુંદર અને દર્શનીય હતું કે તેનું વર્ણન કરવાની અમે હિંમત કરી શકતા નથી. ટૂંકામાં અમે એટલું જ કહીએ છીએ કે શાહજાદી આરામબેગમને રહેવાનું મકાન એક નાના સરખા બિસ્તિ સમાન હતું અને અમારા એટલા કથનથીજ વાચકેએ તેની કલ્પના કરી લેવી.
મધરાતને સમય થવા આવ્યું હતું. આકાશમાં નિશાનાથ સંપર્ણ કળાથી ખીલી રહ્યા હતા અને તેના રૂપેરી પ્રકાશમાં આગ્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org