________________
આકસ્મિક ઘટના.
અસંભવ હોવા છતાં મને અહીં બેલાવવાનું આપને શું પ્રજન છે, શાહજાદી સાહેબા !
તેના આ પ્રશથી શાહજાદી હસી પડી. આહા ! તે હાસ્યમાં કેટલી મધુરતા હતી ? કેટલું સોંદર્ય હતું? કેટલું લાવણ્ય હતું ? આસમાની રંગની રત્નજડિત ઓઢણમાં છુપાયેલું શાહજાદીનું ગેરવર્ણય બદન અને તેની મહકતાનું વર્ણન આ કલમથી થઈ શકે તેમ નથી ! વિજય એ રૂપના રાશિને અનિમિષ નયને જેતે ફરીને બોલ્યો. “શાહજાદી સાહેબા ! ગુસ્તાખી માફ કરે; પરંતુ સેવકને અહીં શા અર્થે લાવ્યા છે, તે કેમ કહેતાં નથી ? ”
વિજય ! રાત ઘણું વહી ગઈ છે, માટે અત્યારે તે આરામ કરે. સવારે જે કહેવાનું છે તે કહીશ.” શાહજાદીએ ગંભીરતાથી કહ્યું.
“જેવી આપની ઈચ્છા મને જવાની રજા છે? વિજયે કહ્યું.
નહિં, તમારા આરામને માટે સર્વ વ્યવસ્થા આ મકાનમાંજ થશે; માટે તમારે કયાંઈ જવાની જરૂર નથી.” શાહજાદીએ કહ્યું.
વિજયે આશ્ચર્યયુક્ત સ્વરે પૂછયું બાદશાહી જમાનામાં મારા જેવા પુરૂષે રાતવાસો રહી શકાય ખરો ?”
મુંઝાવાનું કશું કારણ નથી. આ મકાનના ગુપ્ત આવાસમાં તે માટેની સર્વ ગોઠવણ થશે.” શાહજાદીએ એમ કહીને પોતાની એક બાંદીને બેલાવી. બાંદી દેડતી આવી પહોંચી અને વિનયથી શિર ઝુકાવી ઉભી રહી.
શાહજાદીએ બાંદીને કહ્યું. “જલિયા ! આમના માટે પેલા ગુસ ઓરડામાં આરામની સર્વ વ્યવસ્થા કરી મને ખબર આપ.”
બાંદી તુરતજ કુર્નિસ બજાવી ત્યાંથી ચાલી ગઈ અને પળવારમાં પાછી આવીને ફરમાન મુજબ સર્વ વ્યવસ્થા કર્યાની ખબર આપી. તે સાંભળી શાહજાદીએ વિજયને સત્તાવાહક સ્વરે કહ્યું
આ બાંદી સાથે જાઓ અને તે બતાવે એ જગ્યાએ આરામ કરે. સવારમાં હું તમને મળીશ.”
બાદીએ વિજય સામે જોઈને કહ્યું જનાબ ! ચાલે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org