________________
,
ર
તે
ભાગ્યવિધાયક ભામાશાહ. તેથી જ મારે તને નિરૂપાયે ચંપાની દ્રષ્ટિથી દૂર કરે પડ્યો છે, તેમ છતાં ભવિષ્યમાં તું તારા બાહુબળથી તારી ઉન્નતિ કરીશ તે મારી વહાલી પુત્રી ચંપાને વિવાહ તારી સાથે અવશ્ય કરવાને ચુકીશ નહિ. ભાગ્યેગે જે તું તારી ઉન્નતિ કરી શકય હોય તે તું મને તુરત મળજે. હું તારી રાહ જોઈશ; પરંતુ હાલ તે મારે તારા હિતની ખાતર તારી સાથે સખ્ત થવું પડયું છે, તે ખાતર દિલગીર થઈશ નહિ. શાસનદેવ તને દરેક કાર્યમાં સહાયતા આપે, એવી મારી તને આશીષ છે.
લીથાનસિંહ વિજયે એક વાર નહિ, પણ બે-ત્રણ વાર ઉપર્યુક્ત પત્રને ધ્યાનપૂર્વક વાંચે અને ત્યારપછી તેને પિતાના પહેરેલાં વસ્ત્રોમાં સાચવીને જેમને તેમ પાછો મૂકી દીધું. તેણે ફરીથી નિ:શ્વાસ નાખીને મન સાથે વિચાર કર્યો: “ ન્યાયની દષ્ટિએ જોતાં થાનસિંહ શેઠનું લખવું ગેરવાજબી નથી. તેમણે મને જે હેતુએ ચંપાની દષ્ટિથી દૂર કર્યો છે, તે કહાડી નાંખવા જેવો તે નથી. ચંપા આગ્રા નગરના એક શ્રીમંત અને અકબર બાદશાહના અત્યંત માનનીય શાહુકારની પુત્રી છે, ત્યારે હું એક ધન, જન અને આશ્રયહીન યુવક છું; તેથી વ્યવહારની દષ્ટિએ અમારું ઉભયનું લગ્ન થવું અસંભવિત છે. આ સ્થિતિમાં મારે માટે એકજ માર્ગ રહેલો છે કે જે ચં. પાની સાથે લગ્ન સંબંધથી મારે જોડાવું હોય, તે મારે તેને લાય. ક થવાનો પ્રયાસ કરે. ઠીક છે, જેઉં છું કે ભવિષ્યમાં શું શું નિર્માણ થયેલું છે, પરંતુ નિર્મળ આકાશપટ ઉપરથી ચંદ્રદેવ પૃથિવી ઉપર અમૃતધારા વષવી રહ્યા છે, શ્યામસલીલા યમુના પિતાના વિશાળ પટ ઉપર ચંદ્રના પ્રતિબિંબને ધારણ કરી રહેલી છે, સુશીતલ અને મધુર પવનની શાંત લહેરીએ શરીરને અપૂર્વ સુખનું ભાન કરાવી રહી છે અને સમસ્ત પૃથિવી રજની પતિના રૂપેરી અજવાળામાં નિમગ્ન થઈ રહેલી છે તેમ છતાં જીવને આરામ નથી, તેનું શું કારણ? પ્રકૃતિનાં એ સર્વ સુંદર કર્યો, પ્રાણપ્યારી ચંપાના સહવાસ વિના દિલને આરામ આપી શક્તા નથી. પ્રિયજન ના સમાગમ વિના આ રઢિયાળી રાત્રી પણ અકારી અને અપ્રિય લાગે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org