________________
આકસ્મિક ઘટના. મળતો નથી, એનું શું કારણ? મેં એવું શું અઘટિત કાર્ય કર્યું છે કે જેથી પિતા તુલ્ય થાનસિંહે ચંપાને મારી સાથે વાત કરવાની પણ મના કરેલી છે? કે જાણે આમ કરવાને તેમને હેતુ શું હશે, તેની ખબર પડતી નથી, પરંતુ ચંપાને તિરસ્કાર કરવામાં મેં શું સાહસ કર્યું નથી ? તેની તે સમયની દુઃખી અને કાતર મુખમુદ્રા હજુ પણ મારી આંખ સામે તર્યા કરે છે અને મને આર્જવતાથી વિનવતી હાયની, એમ જણાય છે. ખરેખર વિજય ! ગરીબ બિચારી ચંપાને તિરસ્કાર કરવામાં તે મહાન ભૂલ કરી છે! તેણે તે મને ત્યાં રહેવાને વિનતિ કરી હતી, પરંતુ હું જ સાહસ કરી તેને ત્યજીને ચાલ્યા આવ્યો છું. ઠીક, ચાલ્યા તે આવ્ય; પરંતુ હવે ત્યાં જઈ શકાય ખરૂં ? એક વર્ષ પહેલાં તો નહિં જ. બરાબર એક વર્ષે તેને મળીશ અને પછી? પછી ભવિધ્યમાં જે નિર્માણ થયું હશે, તે સહન કરીશ. હા, ઠીક યાદ આવ્યું. મહાલયને ત્યાગ કરતી વખતે દાસીએ એક પરબીડીઉં મને આપ્યું હતું, તે ફેડીને વાંચવાનું તે હું તદ્દન વીસરી ગયું હતું. અત્યારે વાંચું તે ખરે કે તેમાં શું લખેલું છે ?” એમ કહીને તેણે પરબીડીઉં હાથમાં લઈ ફોડ્યું અને અંદરથી પત્ર કહાડીને ચંદ્રના ઉજવલ પ્રકાશમાં તે વાંચવા લાગ્યા:
વિજય! અત્યાર સુધી મેં તને મારા એક પુત્ર તરીકે ગણુને તારું પાલણપષણ કર્યું હતું અને તને કઈ વાતે દુઃખન થાય, એ પ્રમાણે કરવાની મેં કાળજી રાખી હતી, પરંતુ તારા હિતની ખાતર તેમ કરવાનું હવે હું ઉચિત માનતા નથી. ચંપા અને તું હવે ઉમ્મર લાયક થયેલાં હોવાથી તમને બન્નેને વધુ વખત એકત્ર રાખવાં, એ ઠીક કહેવાય નહિ, એમ વિચારી મેં ચંપાને તારી સાથે મળવાની અને વાતચિત કરવાની મના કરેલી છે. આવી રીતે તારી સાથે સખ્ત થવાનું એ કારણ છે કે ચંપા અને તે અન્ય અન્યને ચાહતાં શીખ્યાં છે. અલબત, હું તને એક પુત્ર સમાન ચાહતે હતા, પરંતુ તારા જેવા ધનહીન અને આશ્રયહીન યુવકની સાથે ચંપાનો વિવાહ કરવાને હું તૈયાર નથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org