________________
કર્તવ્યની દિશા. “આપનું કથન સત્ય છે, મહારાજ! પણ જે સમયે શત્રુઓ દેશમાં ત્રાસ વર્તાવી રહ્યા છે, તે સમયે પ્રત્યેક મનુષ્ય પોતાના જાનમાલનું પણ રક્ષણ કરવું જોઈએ ને !” ભામાશાએ કહ્યું.
“મંત્રીશ્વર ! જાનમાલની દરકારનો ત્યાગ કરીને જેણે સંયમવૃત્ત ગ્રહણ કરેલું છે, તેણે શા માટે તેના રક્ષણની ચિંતા કરવી જોઈએ? મુનિએ પૂછયું.
મહારાજ! આપને તે બાબતની ચિંતા ન હોય, એ સ્વાભાવિક છે પરંતુ અમારા જેવા સંસારી મનુષ્યને તો ચિંતા કર્યા સિવાય બીજો ઉપાય નથી.” ભામાશાએ ઉત્તર આપે.
ભામાશાહના ઉત્તરથી મુનિની પ્રશાંત મુખમુદ્રા ઉપર ગંભીરતાની છાયા છવાઈ ગઈ અને તેમની પ્રેમમયી ચક્ષુઓમાંથી વિલક્ષણ પ્રકારના તેજને પ્રવાહ નીકળવા લાગ્યા. તેમણે ભામાશાહ પ્રતિ પોતાની તીક્ષણ દષ્ટિ સ્થાપીને કહ્યું. “ભામાશાહ! મેવાડના મહારાણાના મંત્રી અને પવિત્ર જૈન ધર્મના અનુયાયી પુરૂષના મુખમાંથી નિરાશાજનક વચને નીકળતાં સાંભળી મને ગ્લાની થાય છે. શું આવી રીતે નિરાશા અને ચિંતામાં રહીને તમે તમારા દેશને, તમારા ધર્મને અને તમારા આશ્રયે પડેલા મનુષ્યને ઉદ્ધાર કરવા માગે છે? ચિંતા અને નિરાશા તે ઉન્નતિમાં મહાન વિષ્ન સમા ન છે, એ શું તમે નથી જાણતા?”
“ જાણું છું, કૃપાસાગર! કે ચિંતા અને નિરાશા ઉન્નતિ સાધવામાં વિનરૂપ બને છે, પરંતુ જાણ્યા પ્રમાણે આચારમાં મૂકી શકવા જેટલી મારામાં શકિત નથી.” ભામાશાએ કહ્યું.
મુનિએ શાંતિથી કહ્યું. “એ તમારી નિર્બળતા છે અને જ્યાંસુધી તમે તેને ત્યાગ નહિ કરો, ત્યાં સુધી વિજય મેળવી શકશો નહિ. એકાદ વખતના પરાજયથી તમે આવી રીતે નિરૂત્સાહી બની બેસશે, તે પછી ભવિષ્યમાં આવનારી અનેકવિપત્તિઓ સામે તમે શી રીતે ટકી શકશે ? જાણ્યા પ્રમાણે આચારમાં મૂકવાની તમારામાં જ્યારે શકિત નથી ત્યારે તમે તમારું, તમારા ધર્મનું, તમારા સમાજનું અને છેવટે તમારા આત્માનું શી રીતે કલ્યાણ કરી શકશો?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org