________________
ભાગ્યવિધાયક ભામાશાહ. દેશના, ધર્મના અને સમાજના કલ્યાણને માટે તે કઈ આપ જેવા મહાન પુરૂષની આવશ્યકતા છે. મારા જેવા પામર મનુવ્યથી શું થઈ શકે એમ છે?” ભામાશાએ પૂછયું.
મંત્રીશ્વર ! તમે પામર નથી, પણ એક વીર પુરૂષ છે. સં. સારમાં પ્રત્યેક મનુષ્ય પામરતામાં સડવાને ઉત્પન્ન થયેલ નથી, પરંતુ વીરતાથી પોતાનું અને પોતાના બંધુઓનું પરમ કલ્યાણ ક. રવાને માટે જન્મેલ છે. જ્યાં સુધી અજ્ઞાનને લઈ તે પિતાની ખરી શક્તિને સમજાતું નથી, ત્યાં સુધી જ તે પિતાને પામર ગણે છે; ૫ રંતુ એક વખત જે તેના સમજવામાં આવે કે પિતે પામર નથી, પણ વીર છે અજ્ઞાન નથી, પણ જ્ઞાનવાન છે, નિર્બળ નથી, પણ સબળ છે અને નિસત્વ નથી, પણ સત્વયુક્ત છે, તે પછી તેના દુ:ખ માત્રને નાશ થાય છે અને તે પરમ સુખને વરવા ભાગ્યશાળી થાય છે. ભામાશાહ! આ તમારા પંચભૂત શરીરમાં જે આમા વિ. લસી રહ્યો છે, તેની એટલી તે અગાધ શક્તિ છે કે જે તે ધારે તે ત્રણ ભુવનને સ્વામી પણ બની શકે છે, માટે નિરાશા અને ચિંતાને ત્યાગ કરી તમારા કર્તવ્યને દ્રઢતાથી વળગી રહે. પરમાત્મા ની કૃપાથી તમને અવશ્ય વિજય મળશે જ, ” મુનિ એટલા શબ્દો કહી રહ્યા કે તુરતજ ત્યાં એક ઘડેસ્વાર આવી પહોંચ્યા. તેણે ઘોડા ઉપરથી નીચે ઉતરી મુનિને વંદન કરતાં કહ્યું. “મહારાજ ! આ પનું કહેવું યથાર્થ છે. આપને દરેક શબ્દ મેં સાંભળ્યો છે અને તેથી મારામાં નવજીવનને સંચાર થયો છે. હવેથી અમે સર્વ ગ્લાનિ, સર્વ ચિંતા અને સર્વ નિરાશાને ત્યાગ કરી પરમ ઉત્સાહ અને દ્રઢતાથી સ્વકર્તવ્યમાં જોડાઈ રહીશું અને આપની અને પરમ પ્રભુની કૃપાથી વિજયને વરીશું.”
મુનિએ તેને કોઈ પણ ઉત્તર આપે નહિ, પણ તેમણે સ. હેજ સ્મિત હાસ્ય કર્યું.
ભામાશાએ કહ્યું “મહારાજ ! આપના ઉપદેશથી મારામાં પણ નવજીવનને ઉદ્દભવ થયો છે અને તેથી એક સરખા આગ્રહથી કર્તવ્યમાં જોડાઈ રહેવાની હું આપ પૂજ્ય સન્મુખ પ્રતિજ્ઞા લઉં છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org