________________
કર્તવ્યની દિશા.
૫ છે. વળી તેણે રાજપુતેના દિલ જીતી લેવાની ખાતર તેમની સાથે કન્યા લેવા-દેવાને વ્યવહાર શરૂ કર્યો હતો અને સમસ્ત હિન્દુજાતિને પ્રેમ મેળવવાની ખાતર તે સર્વ ધર્મના આચાર્યોની સભા ભતે અને તેમની ધાર્મિક વાતે સાંભળતું હતું. આમ કરવાને રાજકીય દષ્ટિએ તેને ગમે તે હેતુ હેય; પરંતુ તેના એ ઉદારમતવાદથી હિન્દુઓ તેના પક્ષપાતી બન્યા હતા અને તેને દિલોજાનથી સહાય કરવાને તત્પર રહેતા હતા. શહેનશાહ અકબરના આવા ઉદાર મતવાદથી માત્ર મેવાડનો ટેકીલે રાણે પ્રતાપસિંહ ભેળવાયે નહોતો અને તેણે અકબરના જીવતોડ પ્રયત્ન સામે થઈને પણ પિતાની અખંડ કીર્તિ જાળવી રાખી હતી.
પ્રકરણ ૪ થું.
કર્તવ્યની દિશા. વર્ષારૂતુની પૂર્ણાહુતિ થઈ ગઈ હતી. વર્ષાદ પુષ્કળ પડેલ હોવાથી આરાવલી પર્વતને પ્રદેશ લીલાછમ બની ગયે હતે. પર્વ તેના માર્ગો, નદીઓ, નાળાઓ, ખીણે વિગેરે જળથી ઉભરાઈ ગયાં હતાં. ચોતરફ પ્રકૃતિનું સુંદર દશ્ય નજરે પડતું હતું. કેમલિમેરથી થોડે દૂર આવેલું એક વિશાળ સરોવર જળતરથી હસી રહ્યું હતું. સરોવરની ચોતરફ મોટાં મોટાં વૃક્ષેનાં ઝુંડ ને કુંડ આવી રહેલાં હતાં, તેમાં આમ્રવૃક્ષો ઉપર બેસીને કાળી કોયલે પંચમ સ્વરથી આલાપ કરી રહી હતી. અન્ય પક્ષીઓ સરોવરના સુશીતલ સ્વચ્છ જળમાં સ્નાન કરી રહ્યાં હતાં. સરોવરની ચારે દિશામાં દિવાલની પેઠે પર્વતમાળા આવેલી હતી અને તેની સુંદર નયનમનહર ખીણમાં પશુઓ આનંદથી લીલું સુકેમળ ઘાસ ચરી રહ્યાં હતાં. કાર્તિક માસ ચાલતા હતા, પ્રભાતને સમય હતું, સૂર્યનારાયણને ઉદય થયાને થોડા જ સમય થયેલ હોવાથી તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org