________________
ભાગ્યવિધાયક ભામાશાહ. પરંતુ પ્રતાપસિંહને તે કબજે કરી શકે નહે. ઈ. સ. ૧૫૭૬ માં ફરીને મેવાડ ઉપર ચડાઈ લઈને તેણે સેનાપતિ માનસિંહને મેક હતું. આ વખતે હદીઘાટના મેદાનમાં મેગલ અને રાજ પુત સૈનિકે વચ્ચે મહા ભયંકર યુદ્ધ થયું હતું અને તેનું શું પરિણામ આવ્યું તે આપણે વાંચી ગયા છીએ. એટલે તે સંબંધી નવેસરથી વિવેચન કરવાની અગત્ય નથી. ટુંકામાં એટલું કહેવું બસ થશે કે એ યુદ્ધમાં રાજપુતેનો પરાજય અને મોગલોને વિજય થયો હતે; પરંતુ તેઓ તેમને નમાવી શકયા નહોતા.
બાદશાહ અકબરને ઘણું ઈતિહાસકારો “ઉદાર અને હિન્દુમુસલમાન પ્રતિ સમાન દષ્ટિ રાખવાવાળો” હતા, એમ કહે છે અને કેટલાકે તેને “કપટકળામાં નિપૂણ અને વિષયી ગણે છે.” વસ્તુતઃ અકબર કે હતું, એ વિષે વિવેચનમાં ઉતરવાનુ નવલકથાકાર તરીકે અમે પસંદ કરતા નથીતેમ છતાં શહેનશાહ અકબરના ગુણ-દેષ સાધારણ રીતે આ નવલકથામાં આળેખાયલા જોવામાં આવશે અને તેથી વાંચકે તેના વિષે ઈછાંનુકૂળ કપના પણ કરી શકશે. અકબર ગમે તે કપટી અને વિષયી હોય તે પણ તેણે જે રીતે મેગલ બાદશાહી ચલાવી છે, તે રીતથી તે પિતાનું નામ અમર કરી ગયા છે અને વિશેષમાં એક ઉદાર રાજકર્તા તરીકેની ગણનામાં પિતાનું નામ મૂકતે ગમે છે. તેણે પ્રજાની પ્રીતિ મેળવ વાની ખાતર કે પિતાની રાજગાદીની જડ ઉંડી ઉતારવાની ખાતર હિન્દુ અને મુસલમાન પ્રજાને સમાન ન્યાય આપવાને પ્રયાસ કર્યો હતું, તેમજ જૈનાચાર્ય શ્રીમાન હીરવિજયસૂરિના પરિચય અને ઉપદેશથી જીવહિંસાને અટકાવ તથા જાત્રાળુ અને જજીઆવેરાની માણીના ઠરાવ બહાર પાડયા હતા. દિલ્હીના સિંહાસને ગીજનવી, ઘેરી, ગુલામ, પઠાણ, તુર્ક અને ખીલજી વંશના જે જે બાદશાહ થઈ ગયા હતા તથા મંગલવંશના બીજા જે બાદશાહે થયા, તે કરતાં અકબરશાહ ઘણેજ ઉદાર અને નીતિપ્રિય બાદશાહ હતું, એમ તે નિર્વિવાદ કહેવું પડે છે.
અકબર બાદશાહ મહત્વાકાંક્ષી હતે અને તેથી તેણે સમસ્ત હિન્દુસ્થાનને જીતી લેવાનો પ્રયાસ કર્યો હતે, એ જાણીતી વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org