________________
ઇતિહાસ વર્ષની તરૂણ અવસ્થામાં અકબરના હાથમાં મોગલ સલ્તનતની લગામ આવી હતી, પરંતુ સ્વાભાવિક બુદ્ધિબળ અને કેળવણીમાં તે અસાધારણ હતું અને તેથી જ તે પિતાનું નામ હિન્દુ-મુસલમાનમાં અમર કરી ગયા છે. શહેનશાહ અકબર જેમ બુદ્ધિબળમાં ચડીઆતે હતું, તેમ યુદ્ધ કાર્યમાં પણ કુશળ હતા. તે સ્વભાવે મીઠ અને અંગે શૈરવણે હતે. વિશેષમાં તેનામાં હિંમત એટલી બધી હતી કે રાજસ્થાનના મોટાં મોટાં રાજ્યને બળથી અને કળથી તાબે કરી તેમની પુત્રીઓને પિતાના જમાનામાં લાવવાને અને એ રીતે સમસ્ત હિન્દુસ્થાનમાં પોતાને અધિકાર જમાવવાને તે શક્તિવાન થયો હતે. અકબરે રાજ્યગાદીને સ્વતંત્ર અધિકાર પોતાના હાથમાં લીધો કે તુરત જ તેણે સર્વત્ર સુવ્યવસ્થા કરી દીધી, લશ્કરી અમલદારેને વશ કરી લીધા અને બાદશાહીના જે જે પ્રાંત બીજા કબજે કરી બેઠા હતા, તે જીતી લીધા. અકબરે પ્રથમ પિતાના પિતાનું વેર વાળવા મારવાડના રાઠોડ પતિને તાબે કરવા મારવાડ ઉપર હુમલો કરી સુવિખ્યાત મેડતાને કિલ્લો જીતી લીધે. અકબરની પ્રચંડ સેના અને તેના બાહુબળને જેઈ અંબરરાજ બિહારીમલ્લ અને તેનો પુત્ર ભગવાનદાસ તેના તાબે થઈ ગયા. ભગવાનદાસે પિતાની બહેનને વિવાહ અકબર સાથે કરી રાજપૂત કુળને કલંકિત કર્યું હતું. અકબરે ધીમે ધીમે સઘળાં રાજપૂત રાજ્યોને પોતાને તાબે કરી લીધાં હતાં. મારવાડના રાજા માલદેવે છેવટે હાર પામી પોતાની કન્યા અકબરને આપી હતી અને તેના પેટે શાહજાદા સલિમને જન્મ થયો હતો. અકબર રાજસ્થાનમાં ઘણું ખરાં રાજ્યને પોતાને કબજે કરવા શકિતવાન થયો હતોપરંતુ મેવાડના મહારાણા વીરવર પ્રતાપસિંહને તે વશ કરી શકે નહોતો. તેણે ગમે તે ઉપાયે પ્રતાપસિંહને નમાવવાનો નિશ્ચય કર્યો હતો અને તેથી તેણે ઈ. સ. ૧૫૬૮ માં મેવાડની રાજધાની ચિત્તોડ ઉપર હુમલો કરી તે જીતી લીધી હતી;
ભગવાનદાસને પુત્ર માનસિંહ અકબરને મુખ્ય સેનાપતિ થઈ પડ્યો હતો. તેણે પિતાની પ્લેનને શાહજાદા સલીમ સાથે ઇ. સ. ૧૫૮૮ માં પરણાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org