________________
ભાગ્યવિધાયક ભામાશાહ.
સલાહથી રણભૂમિને ત્યાગ કરી ગયા પછી આ યુદ્ધનો અંત આ .
ઈતિહાસનાં પૃષ્ઠો ઉપર હલદીઘાટનાં યુદ્ધની જે હકીકત લખાયેલી છે, તે વાંચતાં આપણને આશ્ચર્ય થાય છે અને પ્રતાપી પ્ર. તાપસિંહના શાર્યને માટે આપણું મુખમાંથી ધન્યવાદના શબ્દો નીકળી પડે છે. હલ્દીઘાટના યુદ્ધ પછી મેવાડની જે દુર્દશા થઈ ગઈ હતી તથા પ્રતાપસિંહને જે દુઃખ અનુભવવાં પડયાં હતાં, તે સં. બધી આપણે આગળ ઉપર જોઈ લેશું. હવે શહેનશાહ અકબરને સમય અને તેને લગતા ઈતિહાસનું થોડું ઘણું નિરીક્ષણ કરીએ.
શહેનશાહ અકબરને જન્મ ઈ.સ. ૧૫૪ર ના માહે અકર્યોબર તા. ૧૫ મીએ હુમાયુની બેગમ હમિદા બાનુના પેટે અમર કેટમાં થયો હતો. ઈ.સ. ૧૫૫૬ ના જાન્યુઆરી માસમાં હુમાયુનું મૃત્યુ થયું, ત્યારે અકબર પંજાબમાં હતે. અકબર તેના પિતાના મૃત્યુની ખબર અમૃતસરની પાસે કલાનુર સ્થાનમાં સાંભળતાં દિલ્હી આવ્યું અને કેટલાક દિવસ શોક પાળ્યા પછી તે રાજસિં. હાસને બેઠો. અકબર રાજગાદી ઉપર આવ્યા, ત્યારે તેની અવસ્થા નાની હતી, તેથી રાજ્યને બધે કારભાર પ્રધાનમંત્રી ખાનખાના બહેરામખાં ચલાવતા હતા. બહેરામખાં ક્રૂર અને ઘાતકી સ્વભાવને હોવાથી અકબરને તેની સાથે બન્યું નહિ. બહેરામખાંએ રાજમદને વશ થઈ તદીબેગ નામક સરદારના બનને હાથ કાપી નાંખ્યા હતા અને સૂરવંશના પઠાણ બાદશાહ આદિલશાહના અત્યંત શૂર વીર વણિક સેનાપતિ હેમુ (વિક્રમાદિત્ય)નું મસ્તક, પાણીપતના યુદ્ધમાં તે કેદ પકડાયા પછી, અકબરની નામરજી છતાં કાપી ના
ખ્યું હતું. તેના આવા ઘાતકી કાર્યોથી રાજા અને પ્રજા તેના ઉપર અપ્રસન્ન થઈ ગયાં અને તેથી તેણે પંજાબમાં જઈને અકબર સામે બળ જગાડ, પરંતુ અકબરે તેની આગલી રાજ્ય સેવાની કદર કરી તેને કાંઈ પણ દંડ નહિ આપતાં મકકે ચાલ્યા જવાની રજા આપી. બહેરામખાં મકકે જવાને તૈયાર થયે; પરંતુ માર્ગમાં મુબારકમાં નામક પઠાણે તેનું ખુન કર્યું. બહેન રામખાંના મૃત્યુ પછી અકબર સ્વતંત્ર થયે હતે. માત્ર અઢાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org