________________
છતહાસ.
તેને માર્ગ મેવાડમાં થઈને સુરત અને બીજા બંદર મારફત હો; તે પ્રતાપે લુંટ ચલાવ્યાથી બંધ પડે, આવી રીતે પ્રતાપસિંહ પિતાની દઢ પ્રતિજ્ઞા મુજબ મેવાડનું રાજ્ય ચલાવતું હતું. તે સમયમાં મેગલ સેનાપતિ અંબરનો રાજા માનસિંહ જ્યારે દક્ષિણમાં
જીત મેળવીને દિલ્હી પાછા ફરતું હતું, ત્યારે પ્રતાપસિંહે તેને પિતાની મુલાકાત લેવાને માટે બોલાવ્યા. માનસિંહ રાણા પ્રતાપ નું આમંત્રણ સ્વીકારી તેની રાજધાની કે મલમેરમાં આવ્યું. ઉદયસાગર સરોવરના તટે તેના માટે તંબુ નંખાવી તેને પ્રતાપસિંહે ઉતારો આવે અને તેના માટે જમવાની તૈયારી કરાવી. પ્રતાપ સિંહ પોતાના કુમાર અમરસિંહને માનસિંહનું સ્વાગત કરવાનું કહી ત્યાંથી ચાલ્યા ગયા. માનસિંહ જમવા બેઠે; પરંતુ રાણાને નહિ જોતાં તેણે અમરસિંહને રાણુની ગેરહાજરીનું કારણ પૂછયું અમરસિંહે તેને આડે અવળે ઉત્તર આપે, પરંતુ એથી માન. સિંહના મનનું સમાધાન થયું નહિ. તે રાણાની ગેરહાજરીનું કારણ સમજી ગયે અને જમ્યા વિના પાટલા ઉપરથી ઉઠી ઉભે થઈ ગયે. થોડા સમય પછી પ્રતાપસિંહ આવી પહોંચે. બને પ્રતિસ્પર્થિઓ વચ્ચે કેટલાક સમય ગરમાગરમ તકરાર ચાલી. છેવટે માનસિંહ કોધે ભરાઈ, પિતાને થયેલ અપમાનને બદલે લેવાનું કહી એકદમ ચાલ્યો ગયો. પ્રતાપસિંહે તેની સહેજ પણ દરકાર કરી નહિ. માનસિંહે આથા જઈને અકબરને પિતાના અપમાનની વાત કરી, જે સાંભળીને તે ગુસ્સે થયે. તેણે તરતજ માનસિંહને પ્રચંડ સૈન્ય લઈને પ્રતાપને કબજે કરવાને કર્યો. પ્રતાપસિંહ પાસે આ વખતે બાવિશ હજાર રાજપુત સૈનિકે હતા અને તેને લઈને મોગલ સૈન્ય સામે થવાને હલ્દીઘાટના મેદાનમાં તૈયાર થઈને ઉભે. આ સ્થળે મેગલ અને રાજપુત સૈન્ય વચ્ચે મહાન યુદ્ધ થયું. પ્રતાપસિંહે તથા તેના સરદારો અને સૈનિકોએ આ યુદ્ધમાં કેવું અપ્રતીમ શૌર્ય દર્શાવ્યું હતું, તે વાંચકે જાણતાં હેવાથી અત્રે વિશેષ વર્ણન કરતા નથી. આ યુદ્ધમાં પ્રતાપસિંહના ઘણા સરદાર અને આત્મીય મનુષ્ય તથા ચાર હજાર સૈનિકને ઘાણ નીકળી ગયે હતે. પ્રતાપસિંહ પોતાના મંત્રી અને સરદારોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org