________________
ઇતિહાસ. તો છેવટ સુધી મેગલને વફાદાર રહીને મેવાડને ધ્વસ કરવામાં આગળ પડયા હતા. બાદશાહ અલ્લાહદિન તથા બહાદૂરશાહે ચિત્તોડ ઉપર પ્રથમ ચડાઈ કરી હતી, પરંતુ તેમણે ચિત્તોડને નાશ કર્યો નહોતે. શહેનશાહ અકબરે તે ચિત્તોડ જીતી લઈ, તેનાં માહાલ, દેવાલ અને મંદિરે સર્વને નાશ કરી, તેને સ્મશાનવત્ બનાવી દીધું હતું. ચિત્તોડ જીતવામાં દેશદ્રોહી સગરજીએ બાદશાહ અકબરને સારી સહાય કરેલી હોવાથી તેણે તેને ચિત્તોડની રાજગાદી આપવાની ઉદારતા દર્શાવી હતી
ઈ. સ. ૧૫૭૨ માં ગેગુન્ડાના કિલ્લામાં ઉદયસિંહજીએ જ્યારે દેહને ત્યાગ કર્યો અને પ્રતાપસિંહ મેવાડને મહારાણે થયે, ત્યારે મેવાડની આ સ્થિતિ હતી. પ્રતાપસિંહમાં એક ખરા ક્ષત્રિયને સર્વ ગુણેને વાસ હતો. તેણે પિતાના પૂર્વજોના વીરવયુકત ચરિત્રનું શ્રવણ અને મનન કરેલું હતું બાપારાવળનાં વંશનું તેનામાં અભિમાન હતું અને તેથી તેણે મેવાડની રાજધાની ચિતેડને પુન: મેળવવાનો વિચાર કર્યો. ચિત્તોડને પુનઃ જીતી તથા મોગલોને પરાજય કરી, મેવાડની મહત્તા વધારવાનો પ્રતાપસિંહે નિશ્ચય કરેલું હોવાથી તેણે તે સંબંધી ઉપાય જવાનો પ્રયાસ કરવા માંડ્યો. પ્રતાપસિંહના હૃદયમાં એક એવા શુભ વિચારે જન્મ લીધે હતો કે તેથી તેનું ચિત્ત સદેવ મેવાડની સ્વતંત્રતા સાચવવા અને તેની મહત્તા વધારવાના પ્રયાસોમાં મશગુલ રહેતું હતું. વિશેષમાં તેણે એ પણ સંકલ્પ કર્યો હતો. કે ગમે તે ભેગે અને ગમે તે ઉપાયે મેવાડને ઉદ્ધાર કરે અને બાપારાવળના સૂર્યવંશની કીર્તિને સમસ્ત ભારતવર્ષમાં વિજ્યધ્વજ ફરકાવો. પ્રતાપસિંહના ઘણાખરા સંબંધીઓ તે જો કે મેલેના પક્ષમાં ભળી ગયા હતા, તે પણ કેટલાક મુખ્ય મુખ્ય સ્વદેશભકત સરદારે પ્રતાપસિંહને વળગી રહ્યા હતા. મેવાડ વંશ પરં. પરાને મંત્રી ભામાશાહ, ચંદાવત કૃષ્ણ, સલું બરા સરદાર દેવલવરને રાજા, ઝાલાપતિ માનસિંહ અને વીર જયમલને પુત્ર રણવીરસિંહ. એ સર્વ મહારાણા પ્રતાપના ખાસ અંગત અને આત્મીય સરદારો હતા અને તેઓ પોતાના મહારાણુ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org