________________
૧૮.
ભાગ્યવિધાયક ભામાશાહ.
કાંઈ પણ ટાળે અથવા ગેરસમજ ન થાય; એ ખાતર આવશ્ય કીય ઈતિહાસનું વૃત્તાંત આળેખવાની જરૂર છે અને તેથી જ અમે પ્રસ્તુત નવલકથાને લગતાં કેટલાક ઐતિહાસિક બનાવેનું વર્ણન કરવાને ઉચિત વિચાર્યું છે.
આ નવલકથાનું જે નામ રાખવામાં આવ્યું છે તે અને તેનું પ્રથમ પ્રકરણ જે દષ્ટિએ લખાયું છે, તે જોઈને વાંચકે એટલી તે કલ્પના કરી શકશે કે આ નવલકથા મેવાડ અને મેગલ ઇતિહા. સને અનુલક્ષીને લખાયેલી છે. વીરભૂમિ મેવાડના સૂર્ય સદશ મહારાણા પ્રતાપસિંહ અને મહાન ઐશ્વર્ય સંપન્ન મેગલ સલ્તનતના રાજ્યકાર્ય કુશળ શહેનશાહ અકબરને ઉજવળ ઇતિહાસ ઘણું વાંચકોએ વાંચેલે હશે, એટલે તે સંબંધી અમે અત્રે વિસ્તૃત વિવેચન કરી તેમને કંટાળો આપવા ઈચ્છતા નથી. અમે તે અત્રે પ્રસ્તુત નવલકથાનો સમય અને ઇતિહાસનું આવશ્યકીય વિવેચન કરી સંતેષને પકડશું.
જે સમયે હિન્દુ મુસલમાનની કેટલેક અંશે ઐક્યતા સાધનાર મહત્વાકાંક્ષી શહેનશાહ અકબર દિલ્હીના રાજસિંહાસને હતું, તે સમયે વીરચિત સદ્દગુણેથી ઉભરાઈ જતી ભૂમિ મેવાડમાં રાણા નો રાજય અમલ હતું. રાણુ ઉદયસિંહ બેંતાળીસ વર્ષની ઉમ્મરે મરણ પામ્યો, તે પછી તેને સર્વથી મોટે પુત્ર અને ઝાલેરના સેનીગરા રાજાની બહેનને કુંવર પ્રતાપસિંહ મેવાડની ગાદીએ બેઠે. જે વખતે પ્રતાપસિંહ ગાદીએ આવ્યો, તે વખતે મેવાડની મૂળ રાજધાની ચિડ અકબરે જીતી લીધી હતી, ધન ધાન્ય સર્વ નાશ પામ્યું હતું, સગા સંબંધીઓમાંથી ઘણું તે મૃત્યુ પામ્યા હતા અને જે થોડા ઘણા બચ્યા હતા, તેમાંના કેટલાક તે મેગલેના પક્ષમાં ભળી ગયા હતા. પ્રતાપસિંહને કનિષ્ઠ બંધુ શક્તસિંહ અને સગરજી તથા તેને પુત્ર કે જેણે મુસલમાન ધર્મ અંગીકાર કરી પોતાનું નામ મહોબ્બતખાં રાખ્યું હતું તે ત્રણે અકબરને જઈને મળ્યા હતા અને તેઓએ જ તેને ચિત્તોડ જીતવામાં સહાય કરી હતી. શકિતસિંહ હદીઘાટના યુદ્ધ પછી પોતાના જ્યેષ્ટ બંધુના પક્ષમાં જઈને રહ્યો હતો, પરંતુ સગરજી અને મહોબતખાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org