SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવિધાયક ભામાશાહવિજયે કહ્યું. “ચંપા! તમે મટા શ્રીમંતની પુત્રી છે અને હું ગરીબ તેમજ નિરાધાર છું. તમારા પિતાશ્રી કદિ પણ આપણું ઉભયનું એક બીજા સાથે લગ્ન કરે એ સંભવિત નથી; તેથી એવી અપમાનકારક અવસ્થામાં હું અહીં રહેવાને ઈચ્છતું નથી. તમારા હૃદયમાં જે મારે માટે ખરે પ્રેમ હોય, તે આપણું શ્રેય થાય, એ પ્રયાસ તમે કરજે, હું અત્યારેજ આ આવાસને અને તમારો ત્યાગ કરીને ચાલ્યો જાઉં છું. જે પરમાત્માની કૃપાથી આપણું લગ્ન થવાનું જ હશે, તે પછી કોઈ પણ ઉપાયે આપણે સમાગમ થશેજ. અહીંથી ગયા પછી મારી ઉન્નતિ કર વાને હું અવિશ્રાંત પરિશ્રમ કરીશ અને જે તેમ કરી શકો, તે આજથી લગભગ બાર માસ પછી અત્રે તમને મળવા આવીશ. તે સમયે જે તમારા પિતાશ્રીના વિચારો ફેરવાયા હશે તે ઠીક, નહિં તે પછી કોઈ એક નિર્જન સ્થળે ચાલ્યા જઈશ અને ત્યાંજ આ દુઃખી જીવનને પૂર્ણ કરીશ.” ચંપાએ વ્યાકુળતાથી કહ્યું. “તમને મારા ઉપર ક્રોધ થયે જણાય છે, વિજય! પરંતુ તમે જ વિચાર કરો કે આવી વિકટ સ્થિતિમાં મારે શું કરવું ? તેમ છતાં તમે જે કહેતા હે, તે હું તમારી સાથે આવવાને તૈયાર છું. તમારી આજ્ઞાને માન આપવા હું તૈયાર છું.” નહિ નહિ, ચંપા! એમ કરવાની આવશ્યક્તા નથી. મારી સાથે આવવાનું કાંઈ પણ કારણ નથી, હું તમને કહી ગયા તેમ અત્યારે તે હું જાઉં છું, પરંતુ આજથી બરાબર એક વર્ષ પછી તમને મળીશ. દરમ્યાન તમે તમારા પિતાશ્રીના વિચારોને આપણને અનુકૂળ કરવાનો પ્રયત્ન કરજે.” વિજયે કહ્યું. ચંપાના સુંદર ગુલાબી મુખ ઉપર આ સમયે ચિંતાની છાયા છવાઈ ગઈ. તેના કેમળ હૃદયને વિજયના શબ્દોથી સખ્ત આઘાત થયે. | ચંપાને નિરૂત્તર રહેલી જોઈ વિજયે કહ્યું. “ઠીક ત્યારે ચંપા! હવે હું જાઉં છું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy