________________
પ્રેમ પરિણામ “એજ કે મારે પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે વર્તવું.” ચંપાએ ઉત્તર આપે.
જે એમ છે, તે પછી અત્યારસુધી તમે મારા પ્રત્યે જે પ્રેમ રાખતાં હતાં, તે કૃત્રિમ હત–મિથ્યા હતા, એમજ ને?” વિજયે સહેજ કુટી ચડાવીને પૂછ્યું. તેણે અભિમાનથી તુરતજ ચંપાના કમળ કરને છેડી દીધો.
વિજયના એ પ્રશ્નથી ચંપાને દુઃખ થયું. તેની આંખોમાંથી ફરીને આંસુ નીકળવા લાગ્યાં. તેણે નમ્ર સ્વરે કહ્યું. “વિજય! તમારા પ્રત્યે મારે પ્રેમ કે શુદ્ધ અને નિર્મળ છે, તે મારું મન જ જાણે છે. મારા હૃદયમાં રહેલા એ પ્રેમને હું શી રીતે તમને દર્શાવું? તમારા અંત:કરણને જ પૂછી જુઓ કે હું તમને કેટલા બધા પ્રેમથી ચાહું છું.”
મારા અંતઃકરણને પૂછવાની કશી આવશ્યકતા નથી, ચંપા! તમે જે તમારા પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તે ભલે, મને તેની દરકાર નથી. હું આ ક્ષણેજ તમારા આવાસને ત્યાગ કરીને ચાલ્યો જાઉં છું. એક શ્રીમંત ગૃહસ્થની પુત્રી ઉપર પ્રેમ કરવામાં મેં ગંભીર ભૂલ કરી છે અને તેથી તેનું પરિણામ મારે ભેગવવું જ જોઈએ.”વિજયે અભિ. માનથી કહ્યું.
ચંપા પાષાણુની મૂર્તિ સદશસ્થિર થઈ ગઈ. તેણે એક દીર્ઘ નિઃશ્વાસ મૂકીને કહ્યું. “વિજય! તમે મને અન્યાય કરે છે. પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે મારે વર્તવું જોઈએ, પરંતુ એથી તમારે એમ સમજી લેવાનું નથી કે હું તમને ચાહીશ નહિ. તમને અર્પણ કરેલું મારું હૃદય કાળાંતરે પણ કોઈનું થશે નહિ, એ ચોક્કસ માનજે. પિતાશ્રીની આજ્ઞાને તિરસ્કાર કરવાનું મારામાં અત્યારે તે સાહસ નથી, પરંતુ હું તેમને વિનવીશ-કાલાવાલા કરીશ અને આપનું ઉભયનું લગ્ન થાય એ પ્રયાસ પણ કરીશ; માટે વિજય! ભલા થઈને તમે શેડો સમય અહીંજ રહે. પરમાત્મા મહાવીરની કૃપાથી સર્વ સારૂં જ થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org