________________
ભાગ્યવિધાયક ભામાશાહ. તે યુવકે મંદસ્વરે કહ્યું. “ચંપા! તમે કેમ રડે છે? આગ્રાના એક શ્રીમંત ગૃહસ્થની તમે અતિ વહાલી કન્યા હોવા છતાં તમને શું દુખ છે તે હું સમજી શકતા નથી. તમારા દુઃખનું કારણ શું તમારા આ બાળસનેહીથી પણ ગુમ છે? તેને શું કહી શકાય તેમ નથી?”
ચંપા હજુ પણ નિરૂત્તરજ રહી. તેનાંનયનેમાંથી અશુઓની અવિરલ ધારાઓ વહેતી હતી.
યુવક, ચંપાને આવી રીતે રડતી જોઈને તેની પાસે ગયા અને તેના કામળ કરને ગ્રહણ કરી બોલ્યો. “ચંપા! તમારી ઉદાસિનતાનું–તમારા દુઃખનું કારણ મને ન કહે તે તમને મારા સમ છે.”
ચંપાએ આને સાફ કરતાં કરતાં મૃદુ સ્વરે કહ્યું. “વિજયી વિજયે કહ્યું. “કેમ?” “શું તમને પિતાશ્રીએ કાંઈ કહ્યું નથી?” ચંપાએ પૂછયું.
“નહિ, મને તમારા પિતાશ્રીએ કાંઈ કહ્યું નથી. આજ મધ્યાહ્ન પછી તે મને મળ્યા જ નથી.” વિજયે ઉત્તર આપે.
“ ત્યારે તમે મધ્યાહ પછી મહેલમાં નહોતા, વિજય?” ચંપાએ ફરીથી પૂછયું.
“ના.”વિજયે ઉત્તર આપે.
“અત્યારે પિતાશ્રી ક્યાં છે, તેની તમને ખબર છે?” ચંપાએ પ્રમ કર્યો.
તે હું જાણતું નથી, ચંપા! કેમકે હું બહારથી હજુ ચાલેજ આવું છું. "વિજયે જવાબ આપે.
ચંપા ક્ષણવાર વિચારમાં પડી ગઈ. ઘડીભર વિચાર કર્યા પછી તેણે કહ્યું. “ત્યારે હવે મારી ચિંતાનું કારણ તમને મારે મહેડેથી જ કહેવું પડશે. વિજય ! પિતાશ્રીએ તમને મળવાનીઅરે! તમારી સાથે વાતચિત કરવાની પણ મને હવેથી મના કરી છે, તેની તમને ખબર નથી?”
ના, તે સંબંધી મને કશી પણ ખબર નથી, પરંતુ તમારા પિતાશ્રીની એ આજ્ઞા વિષે તમે શું વિચાર કર્યો?” વિયે ખિન્નતાથી પૂછ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org