________________
ભાગ્યવિધાયક ભામાશાહ.
ખુદાના દરબારમાં પણ પહેચી ગયા હતા પરંતુ નિઃશસ્ત્ર પ્રતિ
ધિને નહિ મારવાને વિચાર કરીને તેણે પિતાની તલવારને માનમાં નાંખી દીધી. તલવારને મ્યાન કર્યા પછી તેણે અનુકંપા દર્શાવતાં કહ્યું. “ખાં સાહેબ ! તમે મારા પ્રતિસ્પર્ધિ છે અને તે ખાતર તમને ખુદાતાલાની હજુરમાં મોકલવાની આ તકને ચકી જવી જોઈએ નહિ, પરંતુ અત્યારે તમે નિ:શસ્ત્ર છે અને તેથી તમારા ઉપર ઘા કરવાનું મને વ્યાજબી લાગતું નથી. મારી ઈચ્છા છે કે તમે કાંતે શસ્ત્રને પુન: ધારણ કરો અને કાંતે અહિંથી સુખ રૂપ પલાયન કરી જાઓ.
શાહબાજ ખાંએ કાંઈ પણ ઉત્તર આપે નહિ. તે દિલગીરી ભરેલા મુખથી આસપાસ જોઈ રહ્યો. તેને ૨૫ રહેલે જોઈને ભામાશાહે કહ્યું “શે વિચાર કરે છે; ખાંસાહેબ !”
આ વખત પણ તેણે કાંઈ ઉત્તર આપે નહિ: કિન્તુ તે તે પૂર્વવત આસપાસ જોઈ રહ્યો હતે. આ ઉપરથી તેની નાશી જવાની ઈચ્છા જાણુને ઉદાર દિલને ભામાશાહ તેને તેવી તક આપવાની ખાતર કાંઈ પણ બોલ્યા વિના ત્યાંથી અન્યત્ર ચાલે ગયે. શાહબાજખાને પણ એટલું જ જોઈતું હતું. ભામાશાહને ત્યાંથી ચાલ્ય ગયેલો જોઈને તે તુરત જ સાવધ થયો અને પોતાના ડાઘણું સૈનિકો જે આ યુદ્ધમાંથી બચવા પામ્યા હતા, તેમને લઈને ત્યાંથી નાશી ગયે. આ પ્રમાણે દેલવાડાના કિલા કબજે પ્રતાપસિંહના હસ્તગત થતાં તેણે પોતાની આણ ત્યાં વાવી દીધી અને ત્યારપછી ભામાશાહને કેમલમેરના કલા ઉપર ચડઈ લઈ જવાની આજ્ઞા આપી દીધી. પોતાના મહારાણાની આજ્ઞા મુજબ મંત્રીશ્વર ભામાશાહ કેટલાક સૈનિકો સાથે કમલમેરના કિલા ઉપર હુમલો કરવાને તુરત ચાલ્યા ગયે. ભામાશાહે કમલમેર નજીક આવીને કિલ્લાની તરફ પિતાનું સૈન્ય ગોઠવી દીધું. એટલામાં પ્રતાપસિંહ પણ દેલવાડાના કિલાને ભાર સલ્બરરાજ ગોવિંદસિંહને સેંપી તરત રણવિરસિંહ તથા કર્મસિંહની સાથે તેની મદદે આવી પહો , કેમલમેરનો કિલ્લેદાર અબ્દુલખાં રાજપુત સૈન્ય સાથે ઘણીજ બહાદુરીથી લડ્યા; પરંતુ રાજપૂતોના પ્રબળ ધસારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org