________________
૨૪૬
ભાગ્યવિધાયક ભામાશાહ.
કરવાની આપની તીવ્ર લાગણી જોઈને બહુજ ખુશી થયે છું. અને આપને વિનંતિ કરૂં છું કે આપની એ લાગણીને સુરતમાં જ અમલમાં મૂકશે. આપ મને ફતેહપુરમાં જ કાયમ રહેવાને આ ગ્રહ કરે છે, એ ઠીક છે અને આપની એ ઈચ્છાને માટે માન પણ આપવું જોઈએ, પરંતુ અમારા મુનિ ધર્મના અંગે અમારાથી કાયમ એકજ સ્થળે રહી શકાય નહીં અને તેથી દીલગીરી સાથે આપના આશયને મારે અસ્વીકાર કરવો પડે છે. છતાં પણ પ્રસંગોપાત હું અહીં આવતે રહીશ, એ માટે આપ નિશ્ચિત રહેશે, કારણ કે મને પિતાને પણ આપના જેવા લાયક નૃપતિના સહવાસથી ઘણેજ આનંદ ઉપજે છે. હાલ તે શાંતિચંદ્ર ઉપાધ્યાયને રહેવાની સૂચના આપતે જઈશ. તે પોતે પણ ઘણાજ વિદ્વાન અને શાસ્ત્રના જાણકાર છે અને તેથી આપને તેમના સહવાસથી પણ ઘણેજ આનંદ થશે.” ' સૂરિજી એ પ્રમાણે કહીને પોતાના શિષ્યો સાથે ઉઠીને ઉભા થયા. શહેનશાહ અને અન્ય દરબારીઓ પણ ઉભા થઈ ગયા. તે પછી સૂરિજી પોતાના નિવાસસ્થાને આવ્યા અને શહેનશાહ તથા તેના દરબારીઓ રાજકીય કાર્યમાં ગુંથાયા. જીવહિંસાને પાપકર્મ નહિ માનનારા એક મુસલમાન શહેનશાહને પ્રતિબંધીને તેની પાસેથી તેના સમસ્ત રાજ્યમાં જીવહિંસા કરવાની મનાઈના ફરમાન મેળવનાર અને તે પ્રમાણે અમલ કરાવનાર આચાર્ય શ્રી હરવિજયસૂરિની સમયસૂચકતા અને તેમનાં આત્મબળની આપણે જેટલી પ્રશંસા કરીએ તેટલી થેડી છે. સમસ્ત જગતનું કયાણ કરનારા આવા મહાપુરૂષના જીવનને ધન્ય છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org