________________
ધર્મનું સ્વરૂપ. શોર્ય રહેલું નથી. જેઓ ખરેખરા વીર્યવાન અને અથાગ બળવાન પુરૂષ હોય છે, તેઓ પોતાના બળને ઉપગ ગરીબ, નિરાધાર અને નિર્દોષ પ્રાણીઓને મારવામાં કરતાં નથી. તેવા વીરશિરોમણિ પુરૂષનાં હૃદયમાં તે દયાને ઝરે સતત વહેતો હોય છે અને તેથી તેઓ નિર્બળ જી તરફ હમેશાં ક્ષમાની દૃષ્ટિથી જ જેનારા હેય છે. બાદશાહ સલામત ! નિર્બળ અને અશક્ત જીવને મારવા, તેમને હેરાન કરવા અને તેમને વગર ગુહાએ પકડીને પિંજરામાં પૂરવા, એમાં લેશ માત્ર પણ બહાદુરી-મદઈ નથી; કિન્તુ તે તે કેવળ અધમ કાર્યોજ છે અને તેથી ખરેખરા વીર્યવાન માણસેએ તેવાં કાર્યોને સર્વથા ત્યાગજ કરવો જોઈએ. નિબળનું રક્ષણ કરવું, એ સબળને ધર્મ છે અને એ ધર્મ એજ જીવદયા કિંવા અહિંસા છે. આ ઉપરથી આપ સારી રીતે સમજી શક્યા હશે કે જીવહિંસાના ત્યાગથી માણસનાં હૃદયમાંથા લડાયક ભાવનાને નાશ થઈ જશે, એ માન્યતા કેવળ મનઃકપિત છે. ”
બાદશાહે આનંદ પામીને કહ્યું. “ગુરૂવર્ય! નિર્બળનું રક્ષણ કરવું એ સબળને ધર્મ છે અને એ ધર્મ એજ જીવદયા કિંવા અહિંસા છે, એ આપના કથનથી મારી શંકાનું નિવારણ થઈ ગયું છે. હું હવે સારી રીતે સમજી શક્યો છું કે જીવહિંસાના ત્યાગવડે માણસના હૃદયમાંથી લડાયક ભાવનાને નાશ થઈ જતા નથી; કસ્તુ તેના ત્યાગથી માણસનું હદય ક્ષમાશીળ બને છે. આપના ઉપદેશની ઉત્તમ શૈલીથી મારા પ્રશ્નનો યોગ્ય ખુલાસે મને મળી ગયો છે અને તેથી મારી શહેનશાહતમાં જીવહિંસાને નિષેધ જેટલે દરજજે શકય હશે તેટલે દરજજે તુરતજ કરવાની ગોઠવણ કરીશ. હવે સમય ઘણે થઈ ગયે હોવાથી આપને જવાની જરૂર હશે, તેમ મને પણ છે અને તેથી છેવટમાં મારી એક અરજ તરફ આપ ધ્યાન આપશે. અને તે એ છે કે આપ કાયમ ફતેહપુરમાં જ રહીને મને આપના સત્સમાગમને લાભ આપવા કૃપા કરશે, એવી મારી અંત:કરણની ઈચ્છા છે.”
સૂરિજીએ કહ્યું. “નામવર શહેનશાહ! જીવહિંસાને નિષેધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org