SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ભાગ્યવિધાયક ભામાશાહ. સુધારો પણ કરવાનું આપને વચન આપું છું. કેમ, ગુરૂજી! હવે તે આપ પ્રસન્ન થશે ને ?” આચાર્ય મહારાજે પ્રસન્નતાથી જવાબ આપે. “નામવર શહેનશાહ ! આપની ઉદારતાથી હું ઘણેજ પ્રસન્ન થયે છું. આ વખતે મારા હૃદયમાં એટલે બધે આનંદ થાય છે કે તેની આપને શી વાત કહું? હું માત્ર અત્યારે એટલું જ કહું છું કે આપે મારી માગણને સ્વીકાર કરવા ઉપરાંત જે વચન મને આપ્યું છે, તે માટે આપને હું ઘણેજ આભારી છું. આપે આપની પ્રજાની કાળજી જે રીતે દર્શાવી આપી છે, તે પ્રમાણે તેને અમલ પણ જે તુરત કરીને પ્રજાને સુખી કરશે, તે આપનું રાજ્ય રામરાજ્ય તરીકે ગણશે અને આપને રાજેન્દ્ર કુમારપાળની જેમ ગણીને આ પના સર્વ લેકે પૂજા કરશે.” ગુરૂજી! આપને મેં જે વચન આપ્યું છે, તેને હું સત્વર અમલમાં મૂકીશ; માટે તે ખાતર આપ બેફિકર રહેશો. ઠીક, પણ મારે આપને એક સ્વાલ કરે છે અને તે એ છે કે આવી રીતે જીવહિંસાને સદંતર ત્યાગ કરવાથી પ્રજાના હૃદયમાંથી લડાયક જુસ્સો શું નરમ પડી જવાનો સંભવ નથી ?” - બાદશાહને એ પ્રશ્ન સાંભળીને સુરિજીએ સ્મિતહાસ્ય પૂર્વક જવાબ આપ્યો. “રાજન ! આપે જે સવાલ કર્યો છે તે ઠીક કર્યો છે. કારણ કે એથી ઘણું સમજવાનું મળશે, અહિંસાધર્મના પ્રચારથી માણસેના હૃદયમાંથી લડાયક જુસ્સે નરમ પડી જશે, એવી જે આપ શંકા કરે છે, તે ગ્ય નથી. જીવહિંસા કરવાથી માણસને એ જુસ્સો ટકી રહે છે, એ માન્યતા પણ તદ્દન ભૂલભરેલી છે, કારણ કે જીવહિંસા કરનારા માણસે કાંઈ લડાયક સ્વભાવના અને વિરચિત ભાવનાનાં હોય છે, એમ માની લેવાનું નથી, કિન્તુ ઘણા પ્રસંગે જીવહિંસા કરનારાઓ જ નિર્માલ્ય અને વીર્યહીન હોય છે, તેઓ જીવહિંસા કરે છે, તેટલા જ ઉપરથી તેમના શાર્થની કિંમત આંકવાની નથી; કારણ કે ગરીબ પ્રાણીઓ કે જેઓ સ્વેચ્છાએ પિતાનું જીવન ગુજારતાં હોય છે, તેઓને વિના કારણે મારવામાં જરા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy