________________
ધર્મનું સ્વરૂપ.
૨૪૩ તરીકે સ્વીકાર્યા છે અને તેથી તેમનું સુખ એ મારૂં જ સુખ છે, એમ હું માનું છું. આ કારણને લઈને મારે મારા પિતાના માટે કાંઈ પણ માગણી આપની પાસે કરવાની નથી અને જે કરવાની છે, તે આપને જણાવી દીધી છે, માટે તે પ્રમાણે અમલ કરશો, તે મારા ઉપર ઉપકાર કરવાની સાથે આ૫ માનવસમાજનાં હદ
ને જીતી શકશે. નરેન્દ્ર ! પ્રજાને પ્રેમ એજ રાજ્યની આબાદી છે. જે રાજા પિતાની પ્રજાને પ્રેમ મેળવી શકો નથી અને તેનાં દિલને જીતી શકતા નથી, તે રાજા ખરી રીતે રાજાના પદને લાયક નથી. રાજાએ પિતાના આશ્રય તળે મૂકાયેલી પ્રજાના સુખની હમેશાં કાળજી રાખવી જોઈએ એને તેથી જે રાજા પોતાના કર્તવ્યનું ય. થાર્થ પણે પાલન કરે છે, તેના રાજ્યને પાયે મજબુત થતાંની સાથે તેનું નામ પણ અમર થાય છે. મેં આપની પાસે જે માગણી કરી છે. તેથી આપ પૃથિવી ઉપર શાંતિનું સામ્રાજ્ય સ્થાપી શકવાની સાથે શહેનશાહતને પણ મજબૂત બનાવી શકશે.”
બાદશાહે આનંદપૂર્વક કહ્યું. “સૂરીશ્વર ! હું આપની માગણીને ઘણાજ આનંદ સાથે સ્વીકાર કરું છું અને તે માટેનાં લેખિત ફરમાને હમણાંજ સમસ્ત હિન્દુસ્થાનમાં મેકલાવી દેવાની વ્યવસ્થા કરું છું. સમસ્ત જીવેનું કલ્યાણ કરવાની આપની શુભ લાગણું જોઈને એટલે બધે પ્રસન્ન થયો છું કે જેનું યથાર્થ વ
ન વાણુ દ્વારા થઈ શકે તેમ નથી. આપ જેવા મહાન પુરૂષનાં દર્શન અને ઉપદેશથી મારા હૃદયમાં ઘણી જ અસર થઈ છે અને તેથી મારાથી બનતા પ્રયાસે માંસાહારને ત્યાગ કરીને જીવદયા પાળવાનો પ્રયાસ હું પિતે પણ કરીશ. સૂરિજી! આજથી હું આપને મારા ગુરૂ તરીકે માનું છું અને તેથી આપને જગદગુરૂની ઉપાધિથી નવાજું છું. આપે તે ફકત પર્યુષણના દિવસોમાં જ જીવહિંસા બંધ રખાવવાની માગણી કરી છે, પરંતુ હું તેમાં મારા તરફથી અમુક દિવસની વૃદ્ધિ કરીને તેટલા દિવસે પર્યત મારી શહેનશાહતમાં કોઈ પણ સ્થળે જીવહિંસા નહિ થાય, તે હુકમ કરું છું. આ ઉપાંત મારા રાજ્યઅમલમાં પ્રજાને હર કત કર્તા જે જે કાયદાઓ હશે, તેની તપાસ કરીને તેમાં યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org