________________
ર૪૨
ભાગ્યવિધાયક ભામાશાહ બાદશાહ અકબરની શુભ લાગણી જોઈને' સૂરિજીએ કહ્યું. “શહેનશાહ ! મારા સામાન્ય ઉપદેશથી આપના હદયમાં જે સારી અસર થઈ હોય, તે તે બદલ મારો અહેસાન માનવાની કોઈ પણ અગત્ય નથી, કારણ કે તેમ થવામાં આપના હૃદયની નિર્મળ તાનું જ ભાન થાય છે. વળી મારા જીવનના ઉદેશ અને મુનિધર્મથી આ૫ પરિચિત થઈ ગયા છે એટલે આપ જ વિચારો કે મારાથી આપની પાસેથી એક પણ વસ્તુ લઈ શકાય તેમ છે ખરી?” - સૂરીશ્વરના છેવટના પ્રશ્નથી બાદશાહ અકબર વિચારમાં પડી ગયે. તેને ચૂપ રહેલે જોઈને સૂરીશ્વરે પુનઃ કહ્યું. “નામવર શહેનશાહ ! મને કાંઈક બદલે આપવો જ છે, એવી જે આપની ઈચ્છા હોય, તે હું તેને માન આપવાને તૈયાર છું; કારણ કે આપને હું નારાજ કરવાને માગતા નથી અને તેથી હું કહું છું કે આપના રાજ્યમાં પ્રતિદિન જે અસંખ્ય જીવહિંસા થાય છે, તેને અમારા પવિત્ર ધમેના દિવસે કે જે પર્યુષણના નામથી ઓળખાય છે, તે દરમ્યાન બંધ રાખવાનું ફરમાન કરે અને તે સિવાય આપના રાજ્યના કારાગૃહમાં જે કેદીઓ હોય, તેને તથા રાજ્યમહાલયમાં જે નિર્દોષ પક્ષીઓને વિના કારણે પિંજરામાં પૂરેલા હોય, તેને છોડી મૂકે. આટલું જે આપ કરશે, તે હું એમ જ માનશ કે આપે મારા ઉપર ઘણું જ ઉપકાર કર્યો છે.” ' સૂરિજીની આ નિ:સ્વાર્થ યુક્ત વાણી સાંભળીને શહેનશાહે કહ્યું “સૂરિજી! આપનું કથન રાસ્તા છે, પરંતુ તે તે અન્યના સુખની વાત છે. મારી ઈચ્છા એવી છે કે આપ આપના પિતાના સુખને માટે કાંઈક માગણી કરે”
સૂરિજીએ હસીને કહ્યું. “રાજન્ ! સંસારમાં જેટલા છે વસે છે, તે સર્વને હું મારા પિતાના ગણું છું અને તેથી તેમનાં સુ ખને માટે મેં આપની પાસે જે માગણી કરી છે, તે મારા માટે જ છે, એમ આપે સમજી લેવાનું છે. મેં જ્યારથી આ મુનિવેષને સ્વીકાર કર્યો છે, ત્યારથી મેં મારા-તારાના ભેદભાવને સર્વથા ત્યાગ કર્યો છે એટલું જ નહિ, પણ સમસ્ત સંસારના જીને મારા બંધુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org