________________
સ્થિત્ય તર.
પ્રકરણ ૨૮ મું.
સ્થિત્યંતર સુખ અને દુઃખ, ચડતી અને પડતી તથા ઉદય અને અસ્ત એ પ્રકૃતિના સામાન્ય નિયમો છે અને તે એવી રીતે સંકળાયેલા છે કે વ્યક્તિ અને સમષ્ટિ ઉપર તેઓ અનુક્રમે પિતાનું સામ્રાજ્ય જમાવતા જોવામાં આવે છે. આ નિયમે એ બીજું કાંઈ જ નહિ પરંતુ પૂર્વ જન્મમાં કરેલાં કર્મોનાં ફળવિશેષ જ હોવાથી તેને સહન કર્યા સિવાય અન્ય એક પણ ઉપાય મનુષ્યને માટે રહેતું નથી. કર્મનાં એ ફળને અનુકૂળ બનીને સહન કરવા, એમાં ખરે પુરૂષાર્થ રહેલો છે અને તેથી જે માનો તે પ્રમાણે સુખ અને દુઃખ ઉભય સ્થિતિઓને શાંતિથી અનુભવીને પિતાનાં જીવનને ઉજજવળ બનાવે છે, તેઓ જ ખરેખરા મહાપુરૂષ છે. મેવાડના મહારાણા પ્રતાપસિંહ અને મંત્રીશ્વર ભામાશાહ આદિ વીર પુરૂએ પિતાની જન્મભૂમિનો ઉદ્ધાર કરવાને, પિતાનું સ્વમાન સાચવી રાખવાને, પિતાના ધર્મનું રક્ષણ કરવાને, પોતાની કીર્તિને ટકાવી રાખવાને અને પિતાની સ્વતંત્રતાને પુનઃ મેળવવાને જે જે પ્રયાસ કર્યા હતા, તે સર્વ પ્રયાસનું યેગ્ય ફળ તેમને તકાળ મળ્યું નહતું; કિન્તુ દરેક વખતે તેમને દુઃખ અને પરાજયને જ અનુભવવાં પડ્યાં હતાં, એ અત્યાર સુધી બનેલી ઘટનાઓથી વાચક મહાશયે સારી રીતે પરિચિત છે, પરંતુ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, એ જેમ અનુક્રમે આવ્યા કરે છે, તે પ્રમાણે હવે પ્રતાપસિંહની વર્તમાન સ્થિતિમાં ફેરફાર થવાને વખત સ્વાભાવિક રીતે આવી પહોંચે હતો. દેશભક્ત ભામાશાહે પોતાની સઘળી સંપત્તિ મેવાડના ઉદ્ધારને માટે મહારાણા પ્રતાપસિંહને અર્પણ કરવાથી તે તેની સહાય વડે સૈનિકોને મેળવી શક્યો હતો. આ ઉપરાંત રાયધવલ અને બીજા ઠાકોરોએ પણ પોતાનાં સૈન્ય પ્રતાપસિંહની મદદમાં આપ્યાં હતાં અને તેથી તે પોતાની પાસે સારું લશ્કર જમા કરવાને શક્તિવાન થયો હતે. લશ્કરને એકત્ર કર્યા પછી પ્રતાપસિંહે ભામાશાહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org