SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું સ્વરૂપ.. ૨૩૯ અંતિમ લક્ષ્યને એટલે કે મેક્ષને સહજમાં પ્રાપ્ત કરવા ભાગ્યશાલી થાય છે. સદરહુ બાર વ્રતો પૈકી પહેલું જીવહિંસા ત્યાગનું જે વ્રત છે, તે સર્વોત્તમ છે અને તેથી જે કોઈ પણ મનુષ્ય તે એક વ્રતને પણ યથાર્થ રીત્યા પાળે અને તે પ્રમાણે વર્ત, તે તેનું જીવન ઘણુંજ સુધરી જાય છે. એટલું જ નહિ, પણ તેને આત્માની પણ ઘણું જ ઉંચી સ્થિતિ થઈ જાય છે. નામવર શહેનશાહ ! અમે જેનીએ જીવહિંસાત્યાગના વ્રતને ચુસ્તપણે માનનારા અને પાળનારા છીએ અને સમસ્ત દેશ કે જગતુ ઉપર તેને પ્રચાર કરીને માનવસમાજને તેનું ખરું રહસ્ય સમજાવવાને માટે અમે પ્રયાસ કરીએ છીએ. જીવહિંસા ત્યાગ એટલે કે અહિંસાને મહાન ધર્મ ગણીએ છીએ; કારણ કે એ વ્રત એવું તે ઉત્તમ છે કે તેના સેવન અને પ્રચારથી સંસારમાં સ્વર્ગને લાવી શકાય છે અને તેથી પરમ શાંતિને અનુભવ કરી શકાય છે. સંસારમાં જેટલા જ હયાતી ધરાવે છે, તે સર્વે શરીરથી જોકે જૂદા જૂદાં અને ઉચ્ચ કે નીચ છે, તે પણ તે સર્વની અંદર આત્મા તે સરખોજ છે. અને તેથી જેવી સુખ-દુઃખની લાગણી એ આપણને પિતાને થાય છે, તેવી જ તે સર્વ જીવોને થાય છે. પ્રત્યેક જીવ હમેશાં સુખનીજ ઈચ્છા કરે છે અને તે કારણને લઈ આપણે આપણું વર્તન એવું રાખવું જોઈએ કે જેથી અન્ય જીવોને સુખ જ મળે. જીવાત્મા તરીકે આપણે જે સુખને ઇચ્છતા હોઈએ તે આપણે એ ફરજ છે કે આપણે પ્રત્યેક જીવને સુખ થાય તેવાં કાર્યો કરવાં જોઈએ અને જે તેમ આપણે કરતા નથી, તે પછી આપણને સુખ મેળવવાને શે અધિકાર છે? બાદશાહ સલામત ! આપ ધર્મના સત્ય સ્વરૂપને જાણવાને ઈચ્છા ધરાવતા હોવાથી મારે આપને કહેવું જોઈએ કે ધર્મનું સ્વરૂપ અહિંસાવ્રતમાં આવી જાય છે. અહિં. સાધર્મ એ એવું વ્રત છે કે જેના પરિપાલનથી માણસ સંસારમાં શાંતિનું સ્થાપન કરી શકવાની સાથે પિતાના આત્માની પણ ઉન્નતિ કરી શકે છે અને તેથી અમે તેને મહા ધર્મ ગણીએ છીએ. અહિં સા એટલે પ્રત્યેક જીવ તરફ દયાભાવ એ પૃથિવીતલમાં મોટામાં મેટે ધર્મ છે; ધર્મનું ખરું સ્વરૂપ પણ તેમાંજ આવી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy