________________
૨૪૦
ભાગ્યવિધાયક ભામાશાહ. જીવદયા, પ્રેમ, કરૂણા, મિત્રી, સમાનભાવ વિગેરે અહિંસાનાં સ્વરૂપ છે અને તેથી જે માને એ ઉત્તમ સદગુણેને ધારણ કરીને તે પ્રમાણે પિતાનાં જીવનને વ્યતિત કરે છે, તેઓ પોતાના જન્મનું સાર્થક કરી શકે છે. પ્રત્યેક મનુષ્યનાં હૃદયમાં સ્વાભાવિક રીતે દયા તે રહેલી જ છે, તેમ છતાં ઘણીવાર મનુષ્યની પ્રવૃત્તિ તેથી ઉલ ટીજ જોવામાં આવે છે. કેટલાંક મનુષ્ય ધર્મના નામે યજ્ઞના નિમિત્ત અને હેન્દ્રિયની લાલચે જીવહિંસા કરતાં જોવાય છે. આનું ખરું કારણ જોવા જઈએ તે તેમની અજ્ઞાનતા સિવાય બીજું કાંઈ નથી. અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ અને બ્રહ્મચર્ય આ પાંચને પ્રત્યેક શાસ્ત્રકારે પવિત્ર માનેલા છે; તેમ છતાં અજ્ઞાનતાને વશ થઈ કેટલાક સ્વાથી મનુષ્યએ તેમાં–ખાસ કરીને અહિંસામાં ઘણુંજ વિકૃતિ કરી નાંખેલી છે. હિંસા એ મોટામાં મોટું પાપકર્મ અને આત્માની અધોગતિ કરનારૂં કાર્ય છે અને તેથી તેને ત્યાગ કરવાને બદલે કેટલાંક મનુષ્ય તેને ધર્મ અને શાસ્ત્રજ્ઞા તરીકે ઓળખાવે છે, એ મોટી દીલગીરીની વાત છે. વાસ્તવિક રીતે જોતાં મહામૂર્ખ, સંશયવાન અને અવ્યક્તસિદ્ધાન્તાનુયાયી નાસ્તિકે એ જ હિંસાને ધર્મ તરીકે માન આપેલું છે અને કેવળ પોતાની ઈચ્છાની તૃપ્તિને ખાતર જ હિંસા કરતા હોવાથી તેવા મનુષ્યનાં વચનોને કદાપિ માન આપવું જોઈએ નહીં. ધર્મપરાયણ મનુષ્યએ તે અહિંસા, મૈત્રી, દયા, કરૂણા અને પ્રેમને જ સર્વોત્તમ ધર્મ ગણીને તેની પ્રશંસા કરેલી છે અને તેથી તે પ્રમાણે વર્તવું એ દરેક માણસની ફરજ છે. સમ્રાટશિરોમણિ! હું ખાસ ભાર દઈને કહું છું કે સર્વ ધર્મોમાં અહિંસા જ શ્રેષ્ઠ ધર્મ છે અને તેથી જે એ ધર્મ, યજ્ઞ કે લાલચને વશ થઈ જીવહિંસા કરે છે, તેઓનું રાજ્ય, વંશ, સંપત્તિ, જ્ઞાતિ અને સ્ત્રી આદિ બધી સંપદાઓ થોડાજ કાલમાં નાશ પામે છે. અને તેઓની ભવિષ્યના જીવનમાં અધોગતિ થાય છે. આપના પવિત્ર કુરાનેશરીફમાં પણ હિંસાની મના કરવામાં આવેલી છે. એ આપથી કયાં અજાયું છે? આ આખી આલમના જીવે ખુદાતાલાના સંતાને છે અને તેથી તેમણે પ્રથમ એજ ફરમાન કરેલું છે કે સમસ્ત જી ઉપર રહેમ રાખે. વિશેષમાં કુરાનેશરીફની અંદર શરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org