________________
૨૩૮
ભાગ્યવિધાયક ભામાશાહ. પાસેથી મને તે વિષયની યથાર્થ માહિતી મળશે, એવી આશા રાખીને જ મેં આપને તે વિષે પ્રાર્થના કરી છે.”
૮ રાજન ” સૂરિજીએ સ્મિત હાસ્ય કરીને કહ્યું. ધર્મના સત્ય સ્વરૂપને જાણવાની આપની જીજ્ઞાસા જોઈને મને ઘણેજ આનંદ થાય છે. ધર્મના સ્વરૂપને જાણવાની જીજ્ઞાસા થવી એ આત્માની નિર્મળતાને દર્શાવે છે. ધર્મનું સત્ય સ્વરૂપ સમજવું એ છે કે ઘણું મુશ્કેલ કાર્ય છે, તો પણ માનવબુદ્ધિ તેને સમજી ન શકે એવું તે કઠિન કાર્ય નથી. ધર્મના સત્ય સ્વરૂપને સમજાવવાને માટે પૂર્વે થઈ ગયેલા અનેક સમથે મહાપુરૂષોએ
ગ્ય પ્રય! ! કરેલા છે, પરંતુ તે સર્વને બરાબર સમજવાને આપણને ઘણે સમય લાગે તેમ છે. અને તેથી અત્યારે તે હું આપને શુદ્ધ ધર્મને એટલે કે તેને ખરા સ્વરૂપને ટુંકામાં પણ સમજી શકાય તેવી શૈલીમાં સમજાવીશ. અમારા જૈન શાસ્ત્રકારોએ ધર્મના મુખ્યતઃ બે ભેદો ગણાવ્યા છે. આ બે ભેદે તે સાધુધર્મ અને શ્રાવકધર્મના છે. સાધુધ એ ઉત્કૃષ્ટ અને માત્ર આ સંસારને ત્યાગ કરીને મુનિવેષ ધારણ કરનારને જ ઉપયોગી હોવાથી હું તે વિષે અને વર્ણન કરવા ઈચ્છતા નથી; કિન્તુ અત્યારે તે શ્રાવકધર્મ એટલે કે સંસારમાં રહેતાં મનુષ્યને પાળવાના ધર્મના સ્વરૂપનું
ગ્ય વર્ણન કરીને આપને તેની જોઈતી સમજણ પાડીશ. આ માનવધર્મના બાર પ્રકારે છે અને તેને અમારા શાસ્ત્રકારોએ બારવ્રત તરીકે ઓળખાવેલા છે. જે માણસ પોતાના જીવનને સંસારમાં રહ્યા છતાં ધર્મમાગે પસાર કરવાને ઈચ્છતા હોય, તેમણે ધર્મના એ બાર વ્રતોને અનુસરવાની અગત્ય સ્વીકારવી જોઈએ છે. જીવહિંસા ત્યાગ, અસત્ય ત્યાગ, અદાગ્રહણ ત્યાગ, પરસ્ત્રી ત્યાગ અને સ્વદારા સંતે, અપરિમિત પરિગ્રહનો ત્યાગ અને ઈચ્છાનું પરિમાણ, દિગગમનનો ત્યાગ, ભેગે પગનું પરિમાણ, અનર્થ દંડને ત્યાગ, સામાયિક વ્રત, દેશાવકાશિક વ્રત, પિષધોપવાસ વ્રત તથા અતિથિસંવિભાગ. આ બાર પ્રકારનું માનવધર્મ છે. આ બારવ્રતોની યોજના એવી રીતે કરવામાં આવી છે કે જે કોઈ પણ મનુષ્ય તદનુસાર પિતાનું જીવન વ્યતિત કરવાને ચાહે, તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org