SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું સ્વરૂપ ૧૩૭ ભયંકર કારગૃહમાં લઈ જાઓ અને તેમાં તેને કેદ કરીને મને સત્વર ખબર આપે.” કર્મચારીઓ રજીયાને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. રજીયાએ જતી વખતે શહેનશાહને તથા તેના શાહર કેજીને પોતાને પણ શાહજાદાની જેમ માફી આપવાને ઘણી ઘણી અરજ ગુજારી હતી, પરંતુ સંગ દિલના શહેનશાહે કે ફેજીએ તે પ્રતિ જરા પણ લક્ષ્ય આપ્યું નહોતું. શાહજાદો સલીમ તેના બાબાની રહેમથી છુટી ગયો અને રજીયાને કેદમાં સપડાવું પડયું. એ વિધિની વિચિત્ર લીલા નહિ, તે બીજું શું ? તે પછી શહેનશાહ અને ફેજી ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. – "@ – પ્રકરણ ૨૭ મું. ધર્મનું સ્વરૂપ. શહેનશાહ અકબર અને આચાર્ય શ્રી હીરવિજયસૂરિ રાજમહાલયના એક ખાનગી ઓરડામાં ધર્મ સંબંધી વિવિધ વાર્તાલાપ કરતા બેઠા હતા. ફિજી, અબુલફજલ, ટેડરમલ, કરમચંદ અને થાનસિંહ વિગેરે દરબારીઓ પણ ત્યાં હાજર હતા અને તેઓ સૂરીશ્વર અને સમ્રાટ વચ્ચે ચાલતી ધાર્મિક ચર્ચાને રસપૂર્વક સાંભળતા હતા. ધર્મના જૂદા જુદા વિષયે ઉપર અનેક પ્રકારને વાર્તાલાપ ચાલ્યા પછી શહેનશાહ અકબરે જીજ્ઞાસાથી આચાર્ય મહારાજને પૂછયું. “સૂરિજી ! ધાર્મિક વિષયમાં આપની અપૂર્વ વિદ્વત્તા જોઈને હું ઘણેજ ખુશી થયે છું અને આપે અત્રે આવીને મને તેનું જે જ્ઞાન આપ્યું છે, તે માટે આપને અત્યંત આભારી છું. હવે કૃપા કરીને ધમનું સત્ય સ્વરૂપ મને સમજાવશે, તે હું આપને અહેસાનમંદ થઈશ; કારણ કે હું ધર્મના સત્ય સ્વરૂપને જાણવાને બહુજ ઈનેજાર છું. ધર્મના સત્ય સ્વરૂપને જાણવાને માટે હું ઘણા વિદ્વાનોના પરિચયમાં આવ્યો છું, પરંતુ આજ સુધી મારા મનનું સમાધાન થયું નથી અને તેથી આપની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy